________________
હોય છે. કાગડો માત્ર રાત્રે જ આંધળો હોય છે પરંતુ કામાંધ તો ચોવીસેય કલાક આંધળો હોય છે.
‘જો તું મને પરણે તો હું તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તૈયાર છું' રાજાએ એ સ્ત્રી પાસે વાત મૂકી.
“તો પછી એમાં વિલંબ કરવાની જરૂર જ શી છે? હું એની જ તો રાહ જોઉં છું’ એ સ્ત્રીએ જવાબ આપ્યો.
યોગિનીને શોધવા નીકળેલો રાજા આ સ્ત્રી સાથે પરણવા તૈયાર થઈ ગયો અને પરણવા માટે એ સ્ત્રીની હાસ્યાસ્પદ કહી શકાય એવી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તૈયાર થઈ ગયો, આ વાસ્તવિકતા એટલું જ કહે છે અહીં જેણે પણ પોતાને પશુની હરોળમાં ગોઠવાઈ જતા બચવું છે એણે માત્ર ચર્મચક્ષુ જ ખુલ્લા નથી રાખવાના, વિચારચક્ષુ જ ખુલ્લા નથી
‘રાજન ! જો મને તમે પરણવા માગતા હો તો જળ લાવીને ચરણોદક ગ્રહણ કરો.'
સરોવરમાં ઊતરીને કમલિનીના પાંદડાના ડાભડામાં રાજા જળ લઈ આવ્યો. એ સ્ત્રીના બંને પગ ધોઈને એનું પાણી એ પી ગયો, ત્યાર બાદ એ સ્ત્રીએ રાજાના ગળામાં વસ્ત્ર નાખીને એને બળદ જેવો કર્યો અને સરોવરના કિનારે ભ્રમણ કરાવ્યું. પછી વૃક્ષની સાક્ષીએ એણે રાજા સાથે લગ્નસંબંધ બાંધ્યો.
આપણે હવે છાવણીમાં જશું?”
‘આપની સાથે આવતાં મને ખૂબ લજ્જા આવે છે, એટલે આપ પહેલાં પહોંચો. હું આપની પાછળ જ આવું છું”
રાજા છાવણીમાં પહોંચીને એ સ્ત્રીના આગમનની રાહ જુએ છે અને ત્યાં પેલી સ્ત્રી યોગિનીનો વેશ પહેરીને હાથમાં વીણા લઈને છાવણીમાં દાખલ થઈ.
“આ શું? હું કોઈથી ઠગાયો કે શું?”
રાજા વિચારમાં પડી ગયો. મનોમન એણે વિચારી લીધું કે હવે કાંઈ ન બોલવામાં જ મારું ભલું છે. કારણ કે એ સ્ત્રીને શોધવા જો હું નીકળીશ તો શક્ય છે કે આ યોગિનીને ય મારે ગુમાવવી પડે ! એ સ્ત્રી મળવી હોય તો મળે અને ન મળવી હોય તો ન મળે. આ યોગિનીને ગુમાવવાનું મને પરવડે તેમ જ નથી. હું આમે ય રનવતીને પરણવા જ નીકળ્યો છું ને?”
રાજાએ મનને મનાવીને બીજે દિવસે મુંગિપત્તન તરફનું પોતાનું પ્રયાણ આગળ લંબાવ્યું. ‘ક્યારે રત્નપતીને નીરખું અને ક્યારે એને પરણું ?'
કોણ સમજાવે રાજાને કે હજી આગળ તો કલ્યા નહીં હોય એવા અવનવા રંગો તારે નીરખવાના છે !
-૧
*
, કક
ને
***
", TET
ના
ક જલક
ત્યારબાદ એ સ્ત્રીએ (વિધાધરીએ) રાજાના ગળામાં વસ્ત્ર નાખીને
એને બળદની જેમ સરોવરના કિનારે કામણ કરાવ્યું. રાખવાના, વિવેકચક્ષુ પણ ખુલ્લા રાખવાના જ છે. જો વિવેકચક્ષુ બિડાઈ ગયા તો પછી એ માણસનું ‘પશુની હરોળમાં ગોઠવાઈ જવાનું અસંદિગ્ધ જ છે.
૭૫
૭૬