Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ માનતુંગ વ્યથિત છે તો ‘સત્યવચન બોલવાના નિયમે મારામાં આવી તાકાત પેદા કરી ?” આ વિચારે માનવતી આનંદિત છે. ‘ગુરુદેવ ! આટલો સમય મેં તો ફોગટ જ ગુમાવ્યો' માનતુંગે અશ્રુભીની આંખે ગુરુ ભગવંત સમક્ષ એકરાર કર્યો. રાજન્ ! જીવન જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી બગડેલી બાજી પૂરેપૂરી સુધારી શકાય છે. તમે બંનેએ જોઈ લીધો સંસાર. ભોગવી લીધા ભોગો. જાણી લીધા કર્મોના ખેલ, હવે ચાલ્યા આવો સંયમના માર્ગે. નિષ્પાપ એ જીવન છે. પ્રસન્નતા એ જીવનનો પ્રાણ છે. પવિત્રતા એ જીવનની મૂડી છે. નિર્મળ પરિણતિ એ જીવનની બાદશાહી છે અને પરમપદ એ જીવનનું ફળ છે. શા માટે એ જીવનને અપનાવી લેવામાં હવે વિલંબ દાખવો છો ?' અને મુનિ ભગવંતની આ પ્રેરણાને ઝીલી લઈને યુવાન વયે પહોંચી ગયેલા પુત્ર મદનભ્રમને રાજગાદી સોંપી દઈને માનતુંગ અને માનવતી બંને ચારિત્રના માર્ગે નીકળી પડ્યા. જે પરાક્રમથી સંસાર ત્યાગ કર્યો, એનાં બમણાં પરાક્રમથી એ બંનએ સંયમજીવનના પાલનમાં જાગૃતિ દાખવી, સંયમજીવનનું નિરતિચાર પાલન કરીને છેલ્લે એક મહિનાનું અનશન કરીને બંને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા. તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી વીને એ બંને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી, સંયમ અંગીકાર કરી, ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષમાં પધારી જશે. આવેશમાં આવી ગયેલા જિનદત્ત દુકાનમાં પડેલ લોખંડનું વજનિયું ઉપાડ્યું અને જિનપાલના માથામાં ફટકારી દીધું. જિનપાલનો એ જીવ જુદા જુદા ભવોમાં ફરીને આ ભવમાં ‘માનવતી' સ્વરૂપે થયો અને ભાઈના મોતથી દુ:ખી થયેલ જિનદત્ત કેટલાક કાળ પછી મરીને આ ભવમાં માનતુંગ” સ્વરૂપે થયો. પછી શું શું બન્યું ? માનતુંગ ! તું એ બધું જ જાણે છે. પૂર્વના વૈરભાવથી તે અહીં માનવતીને દુ:ખી કરવા પ્રયાસો કર્યા અને સત્યવાદીપણાનાં જિનપાલના સંસ્કારે માનવતીને પોતાના વચનના પાલનમાં સફળતા અપાવી. માનતુંગ અને માનવતી, બંને પોતાના પૂર્વભવની દાસ્તાને સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયા. ‘ધનના લોભે મેં ખુદે મારા નાના ભાઈની હત્યા કરી નાખેલી ?' આ વિચારે. તમે કેરીની ગોટલીને જોઈને કહી શકશો કે આમાંથી આંબો પેદા થશે. તમે ગલૂડિયાને જોઈને કહી શકશો કે આગળ જતાં આ અલ્સેશિયન કૂતરો બનશે. તમે બીજના ચન્દ્રને જોઈને કહી શકશો કે આવતી કાલે એ પૂનમ બનશે. ગંગોત્રીને જોઈને તમે કહી શકશો કે આગળ જતાં આ વિરાટ ગંગાનું સ્વરૂપ ધારણ કરી બેસશે. અગ્નિ પર ચડેલા માખણને જોઈને તમે કહી શકશો કે આમાંથી ઘી બનશે. પણ, માણસને જોઈને એના ભાવિ અંગે તમે કોઈ જ આગાહી નહીં કરી શકો. આજે

Loading...

Page Navigation
1 ... 47 48 49 50