Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ તો ?' અને માનતુંગ આ પ્રશ્નનો કોઈ જવાબ આપે ત્યાં તો યોગિનીએ એ સ્થળમાં પ્રવેશ કર્યો. યોગિનીને જોતાવેંત રાજા ઊભો થઈ ગયો અને પેલા મંત્રીની હાજરીમાં જ યોગિનીના ‘રાજનું ! આ શું છે ?' ‘કેમ શું થયું?” ‘રોજ તો મારા આગમનમાત્રથી તું પ્રસન્ન થઈ જતો હતો અને વીણાવાદનના શ્રવણથી તો તું પાગલ પાગલ બની જતો હતો. જ્યારે અત્યારે તું સાવ સૂનમૂન બેઠો છે. તારા મુખ પર ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયેલા મને દેખાય છે. તો હકીકત શી છે?” | કહું આપને ?” ‘બધું જ કહી દે. તારી ઇચ્છા હોય તો તપશ્ચર્યાના મારા બળથી હું ઇન્દ્રને હાજર કરી દઉં અને તારી આજ્ઞા હોય તો મેરૂ, સૂર્ય અને ચન્દ્ર, એ બધાય તને આધીન કરી દઉં, મારા માટે કોઈ કાર્ય અશક્ય નથી. તું મને સ્પષ્ટ જણાવ. તારી ચિંતાનું કારણ છે શું ?' યોગિનીએ વીણાવાદન સ્થગિત કરી દઈને રાજાને પૂછ્યું, સાચી વાત કરી દઉં?” ‘કરી જ દેવી પડશે ને ?” આ જે મહાશય મારી સમક્ષ બેઠા છે ને, એ મંગિપત્તન નગરના રાજવી દલસ્તંભનના મંત્રીશ્વર છે. એ અહીં મારી પાસે એક વિનંતિ લઈને આવ્યા છે.” ‘શેની ?” રાજવી દલસ્તંભનની પુત્રી રત્નવતી મને પરણવા ઇચ્છે છે” ‘તને ?' ‘હા’ ‘અને તું એમાં સંમત ન થાય તો?” ‘તો તેણીએ અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે” ‘તેં વિચાર શો કર્યો ?' ‘વિચારો તો મગજમાં જાતજાતના આવી રહ્યા છે પણ નિર્ણય કાંઈ જ કરી શકતો નથી. જો વિનંતિ નથી સ્વીકારતો તો એ રાજા દુશ્મન બને છે અને એની પુત્રી મરણને શરણ થાય છે. અને જો વિનંતિ સ્વીકારી લઉં છું તો...' ‘તો ?' યોગિનીએ ત્રાડ નાખી. યોગિનીની ત્રાડ સાંભળીને, એનો લાલઘૂમ થઈ રહેલ ચહેરો જોઈને, એના કંપી રહેલ શરીરને નિહાળીને રાજા થરથરવા લાગ્યો. હલસ્તંભનના મંત્રીની હાજરીમાં જ માનતુંગ રાજા યોગિનીના ચરણમાં ઝૂકી પડથ. ચરણમાં ઝૂકી પડ્યો, નજીકમાં રહેલ આસન પર યોગિની બેસી ગઈ અને એણે વીણાવાદન ચાલુ કર્યું. પણ આ શું? રાજાના મુખ પર એણે ઉદાસી જોઈ. ૬૬

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50