________________
‘વરાયમેવાભયમ્' આ સંસારમાં વૈરાગ્ય એ જ નિર્ભય છે. રાગને ભય છે, ઇષ્ટ વિયોગનો. દ્વેષને ભય છે અનિષ્ટ સંયોગનો. મોહ ભયભીત છે, ભ્રમના કારણે. વાસના ભયભીત છે અતૃપ્તિના કારણે. ક્રોધ ભયભીત છે સંકલેશના કારણે. લોભ ભયભીત છે અસંતોષના કારણે.
નિર્ભય એ છે “કાંઈ જોઈતું નથી' ને જેણે પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. નિર્ભય એ છે ‘પ્રતિષ્ઠાની, પ્રતિસ્પર્ધાની અને પ્રદર્શનની’ દોટમાંથી જેણે પોતાની જાતને બહાર કાઢી લીધી છે. સુખી એ છે જે “નિઃસ્પૃહી છે. આનંદિત એ છે જેણે શરીર-મનની આજ્ઞા માનવાની અંતઃકરણને ના પાડી દીધી છે.
રાજા યોગિનીના વિકરાળ ચહેરાને જોઈન થરથરવા લાગ્યો. એ કાંઈ બોલવા જાય એ પહેલાં તો યોગિનીએ પેલા મંત્રીની હાજરીમાં જ રાજાને સંભળાવવાનું ચાલુ કરી દીધું..
રાજન ! કાન ખોલીને તું સાંભળી લે કે...'
‘તમારી કુંડલી પણ મેં જોઈ અને તમે જેની સાથે લગ્ન કરવા ધારો છો એ યુવતીની કુંડલી પણ મેં જોઈ. મને એમ લાગે છે કે તમે આ યુવતીને જો પત્ની બનાવશો તો એના વિચિત્ર સ્વભાવથી ત્રાસી જશો.’ ‘પણ જ્યોતિષી મહારાજ ! એની જ સાથે લગ્ન કરવાનો મારો નિર્ધાર પાકો છે. આપ ફરીવાર કુંડલીના ગ્રહો જોઈ આપો ને?' યુવકના આગ્રહથી જ્યોતિષીએ ફરીવાર બંને કુંડલી જોઈ. પછી કહ્યું, ‘બે વરસ સુધી ત્રાસ વેઠવાની તૈયારી હોય તો તમે ખુશીથી આ યુવતીને પત્ની બનાવો’ ‘બે વરસ પછી એનો સ્વભાવ સુધરી જશે એમ ?” ‘ના’ ‘તો ?' ‘તમે એના સ્વભાવ સાથે જીવવાનું શીખી જશો !'
હા. આ સંસારમાં સહુએ ‘ગોઠવાઈ જતા શીખી જ લેવું પડે છે. કેદીને જેલમાં ગોઠવાઈ જ જવું પડે છે ને ? પાણીને વાસણમાં ગોઠવાઈ જ જવું પડે છે ને? કૂતરાએ માલિકની આજ્ઞા સામે ગોઠવાઈ જ જવું પડે છે ને ? નોકરને શેઠના હુકમમાં ગોઠવાઈ જ જવું પડે છે ને ? અરે, આપણને મળેલ શરીર સાથે આપણે ય ગોઠવાઈ જવું જ પડે છે ને ? સંસારની કરુણતા કહો તો આ એક જ છે. જન્મથી મરણ
૬૮