Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 24
________________ ગૌતમ પ્રશ્નોત્તર ત્તા છે તે ઈત્યાદિ. જાલિકુમારના શરીર છુટયા બાદ તેમના સમીપવતી સ્થવિરાએ જાલિકુમાર અણગારને કાલગત થયા જાણે પરલોકગમનહેતુક કાર્યોત્સર્ગ કર્યો. તદનન્તર જાલિકુમારના પાત્ર-ભિક્ષાપાત્ર આદિ, વસ્ત્ર-દોરા સહિત મુખવસ્ત્રિકા, લપટ્ટ, ચાદર, રજોહરણ આદિ ધર્મોપકરણ લઈને વિપુલાચલ પહાડથી ઉતરી ભગવાન મહાવીર સ્વામીની સેવામાં ઉપસ્થિત થયા, અને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બેલ્યા. હે ભગવન્! કાલપ્રાપ્ત જાલિકુમારના આ ધર્મોપકરણો છે. ત્યારબાદ હે ભગવદ્ ! એવું સાધન કરી ભગવાન ગૌતમ સ્વામી શ્રમણ ભગવન્ત મહાવીરને અત્યન્ત-વિનય-સહિત આ પ્રમાણે પૂછવા લાગ્યા...હે ભગવન્! દેવતાઓ દ્વારા સેવિત ભદ્રપ્રકૃતિવાળા આપના સુશિષ્ય જાલિકુમાર અણગાર કાળ કરીને કયાં ગયા? અને કયાં ઉત્પન્ન થયા? ભગવાન મહાવીર કહે છે,–હે ગૌતમ ! મારે સુશિષ્ય જાલિકુમાર અણગાર સ્કન્દક ઋષિની જેમ પિતાના ઔદારિક શરીરને છડી ચન્દ્ર આદિ બારેય દેવલોક અને નવ વેયકને ઓળંઘી વિજય નામના પહેલા અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયે છે. શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્નન કરે છે – હે ભગવન્! વિજય વિમાનમાં જાતિકુમાર દેવની કેટલી સ્થિતિ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! બત્રીસ સાગરોપમની સ્થિતિ છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જાલિકુમારદેવ પિતાની દેવસંબધી આયુ, ભવ અને સ્થિતિને પૂર્ણ કરી ક્યાં જશે? તથા કયાં ઉત્પન્ન થશે? શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૨.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62