Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એટલે મન્દ અને તીવ્ર આદિ ભેદથી કર્માંના વિપાકરૂપ અનુભાગ–અન્યના અસંખ્યાત અધ્યવસાય સ્થાન છે. પ્રાણિયાની જે જે પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ છે તે તે પ્રકારના ભિન્ન ભિન્ન અધ્યવસાય છે. એથી તેનું પ્રત્યેક સ્થાન ભિન્ન ભિન્ન થાય છે. અનુભાગ–અન્યના અસંખ્યાત અધ્યવસાય સ્થાનેમાંથી કોઇ એક સ્થાનમાં તેને અનુરૂપ કષાયના ઉદયમાં રહેલ કોઇ જીવ મૃત્યુ પ્રાપ્ત થયા હોય અને તેજ રીતે ક્રમ અને ઉત્ક્રમથી મૃત્યુદ્વારા અનુભાગ અન્યનાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા સર્વે અધ્યવસાય સ્થાન પૃષ્ટ થાય ત્યારે આદરભાવ પુદ્ગલ-પરાવ થાય છે.
અહીં પણ જો અધ્યવસાય-સ્થાન કદાચ મૃત્યુથી પ કરેલ હોય અને તેજ શ્રી કયારેક મૃત્યુથી પૃષ્ઠ થાય તે તે ગણવામાં નથી આવતું, પરન્તુ જે સ્થાન પહેલાં મૃત્યુથી પૃષ્ટ ન થયુ હોય તા તે કદાચ ઘણા અખ્તર પછી પણ મૃત્યુથી પૃષ્ટ થયુ હોય ત્યારે ગણી શકાય છે.
અનુભાગ–અન્ધના જેટલા અધ્યવસાયસ્થાન છે તે બધાયને ક્રમથી જો જીવાત્મા મૃત્યુદ્વારા સ્પર્શ કરે તો તે સૂક્ષ્મભાવ-પુદ્ગલ પરાવત થાય છે.
સારાંશ--કષાયનાં ઉદયરૂપ સજધન્યુ-અધ્યવસાય-સ્થાનમાં રહેલ કાઇ જીવ મૃત્યુ પ્રાપ્ત થયા ત્યારબાદ જો તેજ જીવ ફ્રી અનન્તકાલ વીત્યા પછી પણ તેનાથી અવ્યવહિત અર્થાત્ અન્તરરહિત ખીજા સ્થાનમાં રહીને મરે તે તે મરણુ ગણી શકાય છે. પરન્તુ જો તે જીવ તેનાથી લાગેલ ખીજા સ્થાનમાં મૃત્યુ પ્રાપ્ત ન થઈને અનન્તકાળ સુધી પણ અન્ય સ્થાનામાં મરતા રહ્યો હોય તો તે સ્થાને ગણવામાં આવતાં નથી. ભલે તે અનન્ત મરણ પણ થઇ ગયા હોય. કાળાન્તરમાં જો તેજ જીવ ખીજા અધ્યવસાય સ્થાનથી મળેલ ત્રીજા અધ્યવસાય સ્થાનમાં મરે તે તે ત્રીજું મરણુ ગણાય છે. પરન્તુ તેના વચમાં આવેલ અન્ય મરણુ ગણાય નહીં. એજ ક્રમથી જો અનુભાગઅન્યના સમસ્ત અસંખ્યાત અધ્યવસાય સ્થાન મૃત્યુથી પૃષ્ઠ થાય ત્યારે સુક્ષ્મભાવપુદ્દગલપરાવ થાય છે.
ભાવાર્થ જૈનદર્શનમાં અત્યન્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને સમય કહે છે. જેને કાઇ વિભાગ ન થઇ શકે એવા અસંખ્ય સમયેાની એક આવળિકા થાય છે, એક કરોડ સડસઠ લાખ સીતાતેર હજાર ખસા સાળ આવળિકાનું એક મુહૂત થાય છે. ત્રીસ મુહૂના એક ‘ દિન-રાત’ થાય છે. પંદર દિવસનું એક પક્ષ થાય છે. એ પક્ષના એક મહિના, આર માસનું એક વર્ષ થાય છે. અસંખ્યાત વર્ષોંનું એક પત્યેાપમ, દસ કાડાકીડી પલ્યાપમનું એક સાગરાપમ, દસ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે. તથા અવસર્પિણી પણ દસ કોડાકોડી સાગરોપમનીજ થાય છે. ઉત્સર્પિણી અને અવસપિણી મળીને એક કાળચક થાય છે. સર્પીની પુછડીથી મેઢા સુધીના શરીરની માફક
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૨૬