Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ × પ્ર. પ ઉ. ૫. ૬ ઉ. પ્ર. ૭. ઉ. પ્ર. ૮ ઉ. પ્ર. ૯ ઉ. સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ એ મહાદુર્લભ છે. સત્સંગ એ આત્માનું પરમ હિતસ્વી ઔષધ છે. વિશ્વમૈત્રીની ભાવના એટલે શું ? : મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ. જગતનાં સર્વ પ્રાણીઓમાં પોતાના સમાન દૃષ્ટિ રાખી પ્રેમપૂર્ણ નિષ્કપટ વ્યવહાર કરવો. પ્રમોદ ભાવના એટલે શું ? : પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણો જોઈ હર્ષ પામવો. કરુણા ભાવના એટલે શું ? કરુણા એટલે સંસાર-તાપથી દુઃખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી. ઉપેક્ષા ભાવના એટલે શું ? : ઉપેક્ષા એટલે નિઃસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. આત્મકલ્યાણ કરવા માટે પ્રથમ શું શું કરવું ? : પ્રથમ ભૂમિકામાં વિષયો પ્રત્યેની પ્રવૃત્તિ ઘટાડવી. સરળતા, ગુરુઆજ્ઞાનું આઘીનપણું, પવિત્ર વિચારો, કરુણા વગેરેને દૈનિક જીવનમાં ઉતારવા. પ્રમાદને ટાળી માનવભવ સફળ કરવા ઉદ્યમશીલ બનવું. પ્ર. ૧૦. પ્રમાદનાં લક્ષણો કયાં કયાં છે ? ઉ. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય (કામક્રોધાદિ ભાવો) એ સઘળાં પ્રમાદનાં લક્ષણો છે. પ્ર. ૧૧. વિનય શા માટે કરવો જોઈએ ? Jain Education International S For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34