Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
શુભચન્દ્રાચાર્ય અને મુનિ શ્રી સમયસુંદરે અધ્યાત્મયોગ અંગે
મુખ્ય રચનાઓ કરી. પ્ર. ૧૧. છેલ્લાં ચારસો વર્ષમાં જૈન પરંપરામાં થયેલી સાત વિશિષ્ટ
આધ્યાત્મિક વ્યક્તિઓનાં નામ આપો. ઉં. : (૧) કવિવર બનારસીદાસજી
(૨) યોગીરાજ આનંદઘનજી (૩) શ્રી ચિદાનંદજી મહારાજ (૪) શ્રીમદ્ દેવચંદ્રજી (૫) શ્રીમદ્ જયચંદજી છાબડા (૬) શ્રીમદ્ રાજચંદ્રજી
(૭) શ્રી ગણેશપ્રસાદ વર્મીજી પ્ર. ૧૨. સાત પ્રસિદ્ધ જૈન તીર્થોનાં નામ કહો. ઉ. : (૧) સમેતશિખર, સ્ટેશન પારસનાથ અથવા ગિરીડીહ.
(જિ. હજારીબાગ, બિહાર) (૨) પાલીતાણા. (૩) રાજગૃહી. (૪) પાવાપુરી. (૫) દેલવાડા (આબુ) (ડ) શ્રવણબેલગોલા-ગોમટ્ટસ્વામી (કર્ણાટક)
(૭) ગિરનાર. પ્ર. ૧૩. મહાત્મા ગાંધીજી પર સૌથી વધારે અસર કરનાર ત્રણ
વ્યક્તિઓ કઈ કઈ ? (૧) નૈતિક બાબતોમાં – લિયો ટૉલ્સ્ટોય (૨) રાજકીય બાબતોમાં – જ્હોન રસ્કિીન (૩) આધ્યાત્મિક બાબતોમાં – કવિ રાયચંદભાઈ અર્થાત્ શ્રીમદ્ રાજચન્દ્ર.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34