Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ કુગુરુસેવા (૬) કુશાસ્ત્રસેવા. આઠ મદ : (૧) જાતિ (૨) લાભ (૩) કુળ (૪) રૂપ (૫) તપ (૬) બલ (૭) વિદ્યા (૮) અધિકાર. પ્ર. ૩૯. સમ્યાન કોને કહે છે ? ઉ. : પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણવું અને તેમાં કોઈ જાતનો સંદેહ ન કરવો તે. પ્ર. ૪૦. સમ્યક્ચારિત્ર કોને કહે છે ? ઉ. : હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ તથા કષાયથી વિરક્ત થવું તે. અથવા આત્મામાં સ્થિર થવું તે નિશ્ચયનયથી ચારિત્ર છે. પ્ર. ૪૧. ધર્મના કેટલા પ્રકાર છે ? ઉ. : અનેક પ્રકાર છે. અહીં શ્રાવકધર્મ અને મુનિધર્મ એમ બે પ્રકાર વિચારીશું. પ્ર. ૪૨. શ્રાવકધર્મમાં દૈનિક આવશ્યક કર્મ કાં કાં ? ઉ. : પ્રભુ-ભક્તિ, ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. પ્ર. ૪૩. મહા અનર્થકારી સાત વ્યસન કાં કાં ? ઉ. : જુગાર, માંસાહાર, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન. પ્ર. ૪૪. શ્રાવકના મૂળ ગુણ કેટલા અને કયા કયા ? ઉ. : શ્રાવકના મૂળ ગુણ આઠ છે : માંસ, મદિરા અને મધ તથા ઉદંબર ફળ (વડ, પીપળ, પીપળો અંજીર અને કઠૂંબર)નો ત્યાગ અથવા માંસ, મધ (દારૂ), મધનો ત્યાગ અને પાંચ અણુવ્રતનું Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34