Book Title: Adhyatmatattva Prashnottari
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 29
________________ આવી ઘટમાળ અનાદિકાળથી ચાલી આવી છે અને અનંતકાળ સુધી ચાલશે, એવું કેવળી ભગવાને જોયું છે. પ્ર. ૫. છ દ્રવ્યો કયાં કયાં ? ટૂંકમાં વર્ણન કરો. ઉ. : જીવ, અજીવ (પુદ્ગલ), ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યો છે. દરેક આત્મા તે જીવ છે, તે અરૂપી બધી અચેતન જડ વસ્તુ અજીવ પુદ્ગલ છે. તેને સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દ હોય છે. કર્મના રજકણ અને આપણું શરીર પણ પુદ્ગલ છે. ધર્મ – આકાશમાં જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયરૂપ દ્રવ્યને ધર્મ કહે છે. અધર્મ – ગતિની સ્થિતિમાંથી સ્થિર થવામાં સહાયરૂપ દ્રવ્યને અધર્મ કહે છે. આકાશ – દ્રવ્યોને સ્થાન આપનાર દ્રવ્યને આકાશ કહે છે. કાળ – દ્રવ્યોમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ દ્રવ્યને કાળ કહે છે. પ્ર. ૬૬. જૈન ધર્મનું લક્ષ્ય શું છે ? દરેક જીવ પોતાના સાચા સ્વરૂપને ઓળખે, એ સ્વરૂપને ઢાંકનારાં તત્ત્વોને ઓળખે અને એ તત્ત્વોને દૂર કરી પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત કરી, સદાકાળે અનંત આનંદમાં રહે – આવો રસ્તો જૈન ધર્મ યથાર્થ રીતે બતાવે છે. ટૂંકમાં દરેક જીવ સિદ્ધ સમાન શક્તિ અપેક્ષાએ છે અને સિદ્ધ થાય તેનો રસ્તો જૈન ધર્મ બતાવે છે. Jain Education International ૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34