Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri

View full book text
Previous | Next

Page 14
________________ વિષચનું ગ્રહણ થાય છે. તેમ છતાં એ બધાએ ભિન્ન ભિન્ન વિષચાના ગ્રાહક તરીકે તે કેઈ એકને જ અનુભવ થાય છે. દાખલા તરીકે, રૂપગ્રહણ ચક્ષુથી થાય છે અને રસાદિગ્રહણ રસનાદિ ઇક્રિયાથી થાય છે. છતાં ચક્ષુદ્વારા જે, રૂપને ગ્રાહક છે તેજ, રસનાદિકારા “રસાદિને ગ્રાહક છે. અર્થાત્ ચહ્ન આદિ બધી-ઈન્દ્રિયો દ્વારા રૂપાદિ વિષયને ગ્રાહક એક જુદો અનુભવાય છે. દષ્ટિથી દર્શન થતાં દ્રષ્ટા તરીકે દષ્ટિ નથી અનુભવાતી, પણ એક અન્ય જ શક્તિ અનુભવાય છે. અને તે જ શક્તિ સ્પર્શનથી સ્પર્શ થતાં સ્પષ્ટ તરીકે પણ અનુભવાય છે. તે જ, રસનાથી ચાખતાં ચાખનાર અને નાકથી સુંઘતાં સંઘનાર તરીકે અનુભવાય છે. અને તે જે શ્રવણથી શ્રવણ કરતાં શ્રોતા તરીકે અનુભવાય છે. આથી ઈન્દિથી પર એવી કઈ શક્તિ સિદ્ધ થાય છે. ઈનિચાને જ વિષયગ્રહણના સાધન અને વિષયગ્રાહક એક માનીએ તો એ ઉપર જણાવ્યું તેમ, અનુભવથી ઉલટું જાય છે. એક દાખલાથી પણ સમજી શકાશે. એક માણસ જે નેત્રથી અનુભવ લીધા પછી - ધળા બન્યા છે, તેને પણ પૂજેલા વિષયાનાં સમરણ તે થાય છે, હવે અહીં વિચારવાનું છે કે આ સ્મરણશક્તિને. સંઘરે કેણે કરી રાખેલો ? જે અનુભવે તે જ સંઘરે અને તે જ સ્મરે. એ એક નિયમ છે. જે જુએ, તે જ યાદ કરે. દષ્ટિને જેનાર (દ્રષ્ટા) તરીકે માનીએ તે દૃષ્ટિ ચાલી જતાં પૂર્વદઇને કોણ યાદ કરશે? દૃષ્ટિ ચાલી જતાં પણ આંધળાને પૂર્વગ્ટનું જે સ્મરણ થાય તે કેમ ઘટશે? દષ્ટિને દ્રષ્ટા તરીકે માનીએ તે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 306