________________
(૧૦૭) સુણો શાંતિ નિણંદ સોભાગી, હું તો થયો છું તુજ ગુણરાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત. સુણો...૧ હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલ કમલા વરિયો. સુણો. ...૨ હું તો વિષયારસનો આશી, તે તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભર્યો, તેં તો પ્રભુભાર ઉતાર્યો સુણો. ...૩ હું તો મોહ તણે વશ પડિયો, તું તો સઘળા મોહને નડિયો, હું તો ભવસમુદ્રમાં ખૂતો, તું તો શિવમંદિર પહોતો. સુણો. ..૪ મારે જન્મમરણનો જોરો, તે તો તોડડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો. .૫ મને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી, હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો. ...૬ મારે છો તું હિ પ્રભુ એક, ત્યારે મુજ સરીખા અનેક હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો. ...૭ મારું કીધું તે શું થાય, તું તો રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મ્હારો મુજરો લેજો માની. સુણો. ....૮ એકવાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમસરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો. ...૯ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. સુણો. ૧૦ |
* * *
(૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org