Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 150
________________ પણ છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે, પણ પક્ષથી અતિક્રાન્ત ભાખ્યો તે સમયનો સાર છે. સમયસાર-૧૪૨. જે શુદ્ધ જાણે આત્માને, તે શુદ્ધ આત્મા જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. સમયસાર-૧૮૬. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. સમયસાર-૨૦૬. જીવ-બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. સમયસાર-ર૯૪. એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. સમયસાર-૨૯૬. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું સમયસાર-૨૯૮. પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે, જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સ મુજ થકી પર-જાણવું. સમયસાર-૨૯૯. જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય નિરજરા, બંધ તેમજ મોક્ષને. સમયસાર-૩૨૦. જયમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. સમયસાર-૩૪૯. જ્યમ સેટિકા નથી પણ તણી, છે સેટિકા બસ સેટિકા જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા. સમયસાર-૩૫૬. તું સ્થા૫ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પર દ્રવ્યો વિષે. સમયસાર-૪૧૨. તેથી ન કરવો રાગ જરીયે, ક્યાંય પણ મોક્ષેચ્છુએ વીતરાગ થઈને એ રીતે, ભવ્ય ભવસાગર તરે. પંચાસ્તિકાય-૧૭ર. ૧૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178