Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 157
________________ * દૂધનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાના દુહા * મેરુશિખર નવરાવે હો, સુરપતિ મેરુશિખર નવરાવે, જન્મકાળ જિનવરજીક જાણી પંચરૂપ કરી આવે; સુરપતિ મેરુશિખર નવરાવે. ૧ રત્ન પ્રમુખ અડ જાતિના કળશ, ઔષધિ ચૂરણ મિલાવે, ખીર સમુદ્ર તીર્થોદિક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે; સુરપતિ મેરુશિખર નવરાવે. ૨ એણી પેરે જિન પ્રતિમાકો નવલ કરી બોધિબીજમાનું વાવે, અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે; સુરપતિ મેરુશિખર નવરાવે. ૩ * પાણીનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાના દુહા * જલપૂજા જુગત કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હોજો, માગો એમ પ્રભુ પાસે. ૧ જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર. ૨ * * * * ચંદન કેસર (બ્રાસ)ની પૂજા કરતાં બોલવાનો દુહો * શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ ! (૧૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178