Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦૬ :
અધ્યાત્મહે મૂઢ ! ધર્મના સાધનો, ઉપકરણ આદિ નામથી, તું હર્ષઘેલે થાય છે, સાધન મળેલ તમામથી; જાણે નહિ કે વહાણમાં, ભલે જહેમ ભાર વધુ ભરે, ડુબાડે બેસનારને જહાજ, રબારાકાંત નહિ તરે. ૨૫
હે મૂઢ ! ધર્મનાં સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે? શું જાણતો નથી કે વહાણમાં જે સોનાને પણ અતિ ભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં બુડાડે છે.” ૨૫
વંશસ્થવૃત્તમ. ધર્મોપકરણ પર મૂચ્છ–એ પણ પરિગ્રહ. येऽहःकषायकलिकर्मनिबंधभाजनं,
__ स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरैरपि सर्पदामयै
रातत्मनां गदहृतेः सुखकृत्तु किं भवेत् ? ॥२६॥ ધર્મ સાધનની વાંછા હોય, આવા પુસ્તકાદિ વડે, પાપ કષાય કંકાસ કરતા, કર્મના બંધન નડે, આ રીતે પ્રાણીને સુખના, સાધને પણ શું કરે ? ઉત્તમ રસાયણે વ્યાધિ વધે, શાંતિ સાધન શું કરે ? ૨૬
જેના વડેધર્મ સાધનની વાંછા રાખી હોય એવાં પુસ્તકાદિ વડે પણ જે પ્રાણુઓ પાપ, કષાય, કંકાસ અને કર્મબંધ કરે ત્યારે તેઓને સુખનું સાધન શું થાય? જે પ્રાણીના વ્યાધિઓ ઉત્તમ પ્રકારનાં રસાયણેથી પણ ઊલટા વધારે પ્રસરતા જાય તેને વ્યાધિની શાંતિ માટે સાધન શું થઈ શકે ?” ૨૬.
મૃદંગ. ૧. હેમનું. ૨. ભારાક્રાંત=વધારે ભાર ભરવાથી વહાણ તરે નહિ.
For Private and Personal Use Only