Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫ર :
ગર્ભ બહેતરીની–
એકસે ને આઠ સાંધા છે, સાત હજાર મર્મસ્થાન છે. વાત, પીત્ત અને કફ ત્રણ દેષ છે અને પાંચસો માંસપેશીઓ છે. (૪૪-૪૫)
એક મનુષ્યના દેહમાં દશ શેર લેહી, પાંચ શેર ચરબી, બશેર પુરીષ, ચેસઠ ટાંક પીત્ત, બત્રીશ ટાંક વીયે અને બત્રીશ ટાંક શ્લેષ્મ રહેલું હોય છે. (૪૬-૪૭)
આ પ્રમાણેનું જે માપ છે તે વજનમાં કંઈપણ ફેરફાર થાય ત્યારે શરીરમાં રોગ પ્રગટે છે અને શરીર ચાલી શકતું નથી. (૪૮)
પહેલા દશકામાં-દશ વર્ષ માં શરીરનું પિષણ કર્યું અને અંગ-દેહને વિકાસ થયો, સારાં સારાં ખાનપાન કર્યો, સારાં વસ્ત્રો પહેર્યા અને દિવસે દિવસે વિવિધ ચેષ્ટાઓ કરી. (૪૯)
બીજા દશકામાં વિવિધ વિદ્યા પ્રાપ્ત કરી અને ત્રીજા દશકામાં કામાભિલાષ પ્રગટ્યો. અને એ રીતે કામવિકાર થવાથી, જે સ્થાનમાં પોતે જ ઉત્પન્ન થયો તે સ્થાનને જ સેવવાની અભિલાષા કરી. ચોથા દશકામાં ધન પાર્જનમાં મન ગયું અને તે પ્રાપ્ત કરવા માટે ક્રોડા ઉપાય કર્યા. (૫–૫૧)
પાંચમા દશકામાં પુત્ર-પુત્રીઓને સ્નેહથી પરણાવ્યા પણ છો દશક આવતાં–વૃદ્ધાવસ્થા આવતાં પ્રાણ પરવશ બની જાય છે. જરા આવતાં યુવાનીને થનગનાટ નાશ પામે છે, પણ વિચિત્ર હકીકત તો એ છે કે-તેવી અવસ્થામાં પણ તૃષ્ણનો અંત આવતો નથી. (પર-પ૩)
સાતમા દશકામાં તે રહ્યુંસહ્યું બળ પણ ચાલ્યું જાય છે અને લાકડી લઈ બુઢ્ઢાની માફક ચાલવું પડે છે અને પિતાની સ્ત્રી પણ સ્નેહ ત્યજી દે છે. (૫૪).
આઠમા દશકામાં તો “ડાસ” બની જાય છે. મોઢામાં એક પણ દાંત હેતે નથી. હાથ કંપવા લાગે, માથું ધુણવા લાગે અને જે કંઈ વાત કરે તેની કંઇ પણ અસર ન થાય. (૫૫)
For Private and Personal Use Only