Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 191
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -દશ દૃષ્ટાંત : ૧૫૯ : સમજો કે-ધોંસરીને સમુદ્રના એક છેડેથી પાણીમાં નાંખવામાં આવે અને સમોલને બીજા છેડેથી વહેતી મૂકવામાં આવે તો સમુદ્રના ઉછળતાં પાણીનાં મોજથી તે ધસરી ને સમેલ ભેગાં થશે ખરા ? કદાચ થાય તે સમલ આપોઆપ ઘસરીને છિદ્રમાં પ્રવેશ કરશે ખરી ? મનુષ્ય જન્મની પ્રાપ્તિ આ હકીકત જેવી જ દુલભ છે. (૧૦) પરમાણુ–એક વિશાળ થાંભલાના ખંડ–ખંડ કરીને ટૂકડા કરવામાં આવે અને તેનું એવું બારીક ચૂર્ણ કરવામાં આવે કે જેથી તેના પરમાણુ પરમાણુ છૂટા પડી જાય. તે ચૂર્ણને એક નળીમાં ભરી તેને હિમાલયના શિખર પરથી ફૂંક મારી ચારે દિશામાં ઊડાડી મૂકવામાં આવે. પછી એ વિચાર કરવામાં આવે છે તે બધા પરમાણુને એકત્ર કરીને પુન: પિલા ભનું નિર્માણ કરીએ, તો તે બની શકવું જેમ અસંભવિત છે તેમ મનુષ્યપણાને પ્રાપ્ત કરવું દુલભ છે. આ દશ દષ્ટાન્તોની માફક મનુષ્યભવ દુર્લભ ગણવામાં આવ્યો છે. A નમિ રાજર્ષિનું સંક્ષિપ્ત વૃતાંત અઢળક લક્ષ્મીનો સ્વામી, મહાસામ્રાજ્યનો ધણી નમિ રાજવી વ્યાધિથી ઘેરાયે. દાહજવરને કારણે આખા શરીરમાં અંગારા ઊડ્યા હોય તેમ બળું બળું થવા લાગ્યો. ઘડીકમાં જમણે પડખે તે ઘડીકમાં ડાબે પડખે-કોઈ રીતે શાંતિ ન વળે. રાજવીને પાંચસો સ્ત્રીઓ હતી. રાજાની શાંતિ માટે સર્વ કામે - લાગી ગઈ, કારણ કે તે સર્વને જીવનાધાર રાજવી હતો. બાવના ચંદનના કચાળા ભરી-ભરીને રાજવીના શરીર પર ચોપડવા લાગી પણ બળતરા ઘટવાને બદલે ઉલટી વધવા જ માંડી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193