Book Title: Acharang Sutram Pratham Shrutskandh
Author(s): Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 329
________________ આપવા લાગે તો જ - તેમાં શ્રદ્ધા ન કરો. આ પ્રકારે મારગે - સાધુ સર્વ - સઘળી પૂi - માયાને વિળયાં - દૂર કરીને સમાધિભાવમાં સ્થિર રહે. / ૨૪ . સહિં - બધા અર્થોમાં અર્થાત પાંચ પ્રકારના વિષય તથા તેના સાધનભૂત દ્રવ્યોમાં અમુ૭િ - મૂર્શિત ન થતો એવો સાધુ બાઉત્તિર - આયુષ્યના સમયને પારણ - પાર કરે. તિતિવ - તિતિક્ષા અર્થાત્ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવું પH - પરમ પ્રધાન ધર્મ છે. જીવ્યા - આ પ્રમાણે જાણીને સાધુ યશાશક્તિ વિમોહwયાં - વિમોહાન્યતર અર્થાત મોહરહિત ભક્તપરિણા, ઈગિતમરણ અને પાદપોપગમન આ ત્રણમાંથી કોઈ એકનો સ્વિકાર કરે, કારણ કે હિયં - ત્રણેય મરણ હિતકારી છે. રિ લેખ - આ પ્રમાણે હું કહું છું. // ૨૫ // ભાવાર્થ :- પાદપોપગમન મરણાર્થી સાધુ જીવરહિત સ્થાન પર શરીરને સ્થાપિત કરીને ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે અને અચલ-મેરૂપર્વતની જેમ સ્થિર થઈને રહે પછી આલોચના આદિ કરીને સ્વયંના શરીરનો ત્યાગ કરે, શરીરનો ત્યાગ કરાયેલા એવા સાધુને જ્યારે કોઈ ઉપસર્ગ યા પરિષહ પ્રાપ્ત થાય ત્યારે તે આ પ્રમાણે ભાવના ભાવે કે આ શરીર ખરેખર મારૂં નથી, કારણ કે મેં તો તેનો ત્યાગ કરી દીધેલ છે. જ્યારે શરીર જ મારૂં નથી તો પછી મને પરિષહ કેવી રીતે થઈ શકે? તે વૈર્યવાનું સાધુ કર્મરૂપી શત્રુઓને વિજય કરવામાં પરિષહોને સ્વયંના સહાયક માને. ll ૨૧ // જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી જ પરિષહ - ઉપસર્ગ છે. શરીરનો અંત થઈ જશે ત્યારે આ ઉપસર્ગ-પરિષહ નહીં રહે આ પ્રમાણે સમજીને ધીરતાવાળો સાધુ તેને સમભાવપૂર્વક સહન કરે. . રર / જો કોઈ રાજા અને ચક્રવર્તીરાજા તે સાધુને અત્યંત પ્રમાણમાં કામભોગોનું આમંત્રણ આપે અથવા રાજકન્યા આપવાનું પ્રલોભન આપે તો પણ સાધુ તેની ઈચ્છા ન કરે, આ પ્રકારે આ લોક સંબંધી અને પરલોક સંબંધી કોઈ પણ નિયાણા-નિદાન ન કરે પરંતુ એક માત્ર નિર્જરાની ઈચ્છા રાખતો એવો સ્વયંના ચિત્તને સમાધિસ્થ રાખે. | ૨૩ // જે ધન જીવન સુધી દાન અને ભોગ કરવાથી નાશ ન થાય એવા શાશ્વત ધનથી જો કોઈ તે સાધુને આમંત્રિત કરે અથવા કોઈ દેવ તે સાધુ પાસે આવીને વિવિધ પ્રકારની ઋદ્ધિ-સમૃદ્ધિ આપવા માટે આમંત્રણ આપે તો પણ સાધુ તેમાં આસક્ત ન બને, આ પ્રકારે જો કોઈ દેવાંગના મુનિને પ્રાર્થના કરે તો તે પ્રાર્થનાને મુનિ સ્વીકારે નહીં, પરંતુ તે સાધુ આ બધાને માયા સમજીને તેનાથી દૂર રહેતો એવો સમાધિભાવમાં સ્થિર રહે. તે ૨૪ || (૨૦)થઇથઇથઇથઈથઇથઇથઇથઇથઇથઇ969696@gશ્રી નાવાર સૂત્ર

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372