________________
વળતે દિવસે ગામ-પરગામના, ગુજરાત - સૌરાષ્ટ્ર, અને કચ્છ સુદ્ધાનાં છાપાંમાં ખુશખુશ થઈ જવાય એવા આ સમાચાર આવ્યા.
‘રાજા તો મેઘ રાજા, ઓર રાજા કાયકા” એમ પ્રશંસા વેરતાં લખાણો, સમાચારો આવ્યાં. નદી, તળાવ, વોંકળા, વહેળા, કૂવા, વાવ બધાં છલકાયાંના ખબર છપાયાં. કંઈક જાદુ જ થયો. કચ્છના એક છાપાંમાં તો તેમના નવા વર્ષ - અષાઢી બીજના સર્વત્ર થયેલા વરસાદના સમાચાર છાપતાં લખેલું હાથ ફર્યો કિરતાર તણો ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ; જલ-સ્થળ નભ જ્યાં જ્યાં નીરખું ત્યાં ચીવન લે અંગડાઈ. મૂશળધાર વરસતાં વાદળ, જળની હેલી આવી; ઝરણાં છલક્યાં, સરિતા દોડી, સાગરમાંહી સમાઈ.
માણસ કરે તો શું કરી શકે? અને કુદરતને કરવું હોય તો ઘડીમાં કેવો પલટો આણી દે છે એ બધાએ જોયું અને અનુભવ્યું. - હૈયે હરખ માતો નહતો. બીજે દિવસે પણ મેં ઉપવાસ કર્યો. પરિણામની ધારા ચડતી રહી. ત્રીજે દિવસે પણ ઉપવાસ થયો. દાદાના અભિષેકની ઉજવણીમાં અનાયાસ અઠ્ઠમ થયો, પ્રસન્નતાપૂર્વક થયો. હજુ પણ અભિષેકનાં દશ્યો મનમાં જ ઘોળાયા કરતાં. એક-એક પ્રસંગના વિચાર પડઘાયા કરે; જે મળે તેને આ જ વાતો કરતાં રહેવાનું મન થાય! અમારા મિત્ર મુનિ શ્રી ધુરંધર
૪૫ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org