Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 104
________________ છે તેમને વિનંતી કરવા જાય છે. ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને સામે શ્રી સીમંધર સ્વામી ભગવાનનાં દર્શન કરે છે. આ પરથી અનુમાન કરી શકાય કે શ્રી સીમંધર સ્વામી પ્રભુ વિ.સં.૧૫૮૭થી પણ પ્રાચીન છે. (૨/૫૭) વિનંતી કરી. તેઓ શ્રી સિદ્ધગિરિ આવે છે. ત્યાં રસ્તે, વલ્લભીપુરથી આગળના રસ્તે, જેવા ગિરિરાજના દર્શન થાય છે કે એને સોના-રૂપાનાં ફૂલથી અને રત્નથી વધાવે છે. યાચકોને મન મૂકીને દાન આપે છે. ગિરિરાજની સ્તુતિ-ભક્તિ કરે છે. આ સ્તુતિના સાત શ્લોક કંઠસ્થ કરવા જેવા છે. (૨/૭૦-૭૬) ગિરિરાજ પર જઈને ગોઠીને દાન-દક્ષિણા આપી રિઝવીને વસ્તુપાલ મંત્રીશ્વરે આણેલી શિલાઓ પ્રાપ્ત કરે છે. (૨/૮૨-૮૩) ઉદ્ધારના કાર્યની રૂપરેખા દોરે છે. સુકાન વિનયમંડન પાઠક સંભાળે છે અને શ્રી વિવેક ધીર(પ્રબંધકાર પોતે)ને શિલ્પીઓના માર્ગદર્શન માટે નિયુક્ત કરે છે. (૨/૮૪) આવું ભગીરથ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટેશ્રી રત્નાસાગર અને શ્રી જયમંડન ગણિ એમ બે મુનિવરો છ મહિનાના ઉપવાસ કરે છે. (૨/૮૬) આવા છ મહિનાના ઉપવાસ કરનાર ચંપાશ્રાવિકાના નામ સાથે આ બે નામ પણ અમર છે. આવા શકવર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગનામૂહુર્તનો નિર્ણય શ્રી વિદ્યામંડનસૂરિજી અનેક જ્યોતિષીને સાથે રાખીને કરે છે. (૨/૯૩) Jain Education International 2010_02 For Private & Personal Use Only ૮૭ : અભિષેક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114