Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 111
________________ જેમ ધનની મૂર્છા જાય તો શ્રાવકપણું પ્રગટે તેમ દેહની મૂર્છા જાય એટલે સાધુપણું પ્રગટે. આ ઉક્તિ અનુસાર મુનિવર શ્રી પ્રેમવિજયજી મહારાજે શરીરથી મમતા અળગી કરી હતી. વળી તેમાં તેમની જડતા ન હતી પરંતુ દ્દઢતા હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાટે આચાર્ય શ્રી વિજય સેન સૂરિ મહારાજ થયા. તેમના મુખ્ય શિષ્ય શ્રી વિમલ હર્ષ ઉપાધ્યાય થયા. તેમના આ શિષ્ય મુનિ પ્રેમવિજયજી થયા. તેમના ભાઈ પંડિત રત્નહર્ષ મહારાજ હતા. તેમના સાન્નિધ્યમાં તેઓ રહેતા હતા. તેમની રચનાઓ પણ મળે છે. વિ.સં.૧૯૬૨માં તેઓએ આત્મશિક્ષા ભાવનાની (જે એકસો પંચ્યાસી દુહામય છે.) રચના કરી છે. તેમનું જીવન તપોમય હતું. સમ્યગ્ દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ માટે તેઓએ વિ.સં.૧૬૪૮માં ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની ચારસોચૌદ જાત્રા કરી. દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એમ ચાર પ્રદક્ષિણા કરી. મન તથા શરીરથી તેઓ કેવા ખડતલ હશે તેની કલ્પના કરી શકાય. સંયમ જીવનની પાલના માટે તેઓશ્રીએ વિ.સં.૧૬૩૯માં આસો સુદિ એકમના દિવસે, ગુરુવારે પીસ્તાલીસ નિયમો સ્વેચ્છાએ સ્વીકાર્યા. એમાં નોંધપાત્ર તો એ જણાય છે કે, એ નિયમપાલનમાં જડતા નહીં અભિષેક: : ૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114