Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 274
________________ ૧૧૯ અને બ્રહ્મચર્યનિષ્ઠામાં પાછા તત્કાળ તલ્લીન બની ગયા તેથી મને આનંદ થયેલ છે મારી માયા એવી જ છે કે તમે તરત ચેતી ગયા ! બાકી અજિતેંદ્રિય જીવનું તો એમાંથી કોઈ પણ રીતે છૂટવાનું ગજું નથી ! જાઓ હવે તમને મારું વરદાન છે કે અત્યારે તે તમે આટલા પણ મોહિત થઈ ચૂક્યા, પરંતુ હવે ક્યારે પણ મારી માયાથી તમો મોહિત કે ચલિત થશે જ નહીં !” પ્રદક્ષિણા કરીને ભગવાન શંકર કલાસમાં પહોંચી તો ગયા જપરંતુ દેવી પાર્વતી આગળ ફરીફરી લજિજત થઈ તેઓએ તે પ્રસંગના પતનની ક્ષમા માગી લીધી ! પરીક્ષિતજી ! આવી છે. વિષ્ણુ ભગવાનની અપરંપાર લીલા ! આમ મેં આ સમુદ્રમંથનના સમયનું અને પિતાની પીઠ પર મંદરાચળ ધારણ કરવાવાળા ભગવાનની માયાનું તમારી આગળ વિસ્તારથી વર્ણન કર્યું. જે ભક્ત વારંવાર આનું શ્રવણ અને કીર્તન કરે છે, તેને પુરુષાર્થ કદી અને કોઈ પણ સંયોગોમાં નિષ્ફળ જતા નથી ! આ લીલાઓનું ગાયન સંસારનાં, સમસ્ત કલેશ અને પરઅમને મટાડી દે છે. બાકી આ આખ્યાનથી પરીક્ષિત રાજન ! તને એટલું તો સ્પષ્ટ સમક્યું હશે જ કે ભગવાનનાં ચરણકમળ કદી દુષ્ટ જનોને લાધતાં નથી ! તેઓ તો “ભગવાનની માયામાં જ ગળાડૂબ રહે છે. અને દુષ્ટજનની કામના એક પછી એક નવી નવી જમ્યાં જ કરી છે. જ્યારે પ્રભુભકતોની કામના પૂર્ણ થયા કરે છે અને છતાં પ્રભુ એમની નિકટ જ રહ્યા કરે છે. કારણ કે એમનાં મન મૂળ પ્રભુમાં જ છે. કામના પૂર્તિ એમને મન ગોણ રહેતી હોય છે.” મવંતર–કથા મૂળમાં ભગવત્તત્ત્વ રાખી મર્યસમાજને; ધર્માર્થે સ્થાપવા માટે, મનુ જન્મ યુગે યુગે.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362