Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 344
________________ २८७ દેતી હતી. એક બાજુથી ચક્રવર્તી સમોવડા રાજા યયાતિએ સમસ્ત વેદોએ પ્રતિપાદેલા સર્વદેવસ્વરૂપ યજ્ઞપુરુષ ભગવાન શ્રી હરિનું મોટી મોટી દક્ષિણે સહિત મહાયજ્ઞોથી સારી પેઠે યજન કર્યું. આમ વર્ષો લગી તેણે નિસ્પૃહ રીતે વજન કર્યા કર્યું. જ્યારે બીજી બાજુ જાણે સદા જુવાનીની માફક રાજા યયાતિએ દેવયાની સાથે અખંડપણે ભોગે ભેગવ્યા જ કર્યા, પણ વિષયભોગ ભોગવવાથી તૃપ્તિ ન થઈ તે ન જ થઈ !” વાસનાક્ષયે મુક્તિ જાથા. ૧. ઉપજાતિ અખંડ આનંદનું ધામ આત્મા, વિલાય તે ભોગ સદા ભજ્યાથી; ને વાસના ક્ષીણ થતાં ફરી, અહા! આત્મા છતો થાય જ તે ત્યજ્યાથી. અંતે તે એ જ છે સાચે, આત્માને પ્રભુ-પ્રાપ્તિને; માગ તે ગ્રહી મર્યો ! સાર્થ જીવનને કરે. ૨ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “રાજન પરીક્ષિત ! રાજા યયાતિને આ રીતે નારીને અધીન બની વિષયોને યથેચ્છ ઉપભેગ કરવા છતાં તૃપ્તિ ન થઈ. એથી એકદા ખૂબ વિચારમાં પડ્યા : “અરેરે ! સતત ભેગે ભેગવવાથી તૃપ્તિ તે ન જ થઈ અને હું દિને દિને મારું સ્વત્વ પણ ગુમાવી રહ્યો છું ! મને આત્માને તે જાણે વિચાર જ આવતો નથી ! ! જ્યારે તૃપ્તિનું, સુખનું અને શાન્તિનું કેંદ્ર તે આત્મા એક જ છે !” આ વિચાર અને વિવેકમાંથી વૈરાગ્ય

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362