Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 310
________________ ૨પ૩ માગ્યું નહીં ! મારું મન પ્રાણમાં નથી તેટલું સમાજસેવકરૂપી બ્રાહ્મણ પર છે.” મતલબ સંસાર તે માયા–ખેલ જેવું છે. અજ્ઞાનવશાત્ જ મન પર તે જૂઠે હોવા છતાં માથે ચડી બેઠે છે એટલે ભગવાનનું શરણ જ સાચું છે. ભગવાને રાજા ખટ્વાંગની બુદ્ધિને પહેલેથી જ પિતા તરફ ખેંચી લીધેલી. આમ વિષવરસ છોડી શરીર આદિ અનામ પદાર્થોમાં જે અજ્ઞાનમૂલક આત્મબુદ્ધિ હતી, તે તજી દીધેલી, તેથી જ પરમાત્મલીન બની શક્યા ! આ આમસ્વરૂપને જ ભક્તજને “ભગવાન વાસુદેવ' રૂપે ઓળખે છે.” સંક્ષિપ્ત રામચરિત્ર આમૂલાગ્ર જગતશુદ્ધિ કાજે શસ્ત્રપ્રયોગ જાતે પ્રભુ કરે તોયે જગતશુદ્ધિ થતી ન તે. ૧ શાને શસ્ત્રપ્રયોગોને, ચાલુ રાખે મનુ–સુતો ! અહિંસા શ્રેષ્ઠ છે ધમ, તે માની સવ ચાલજે. ૨ એવી શીખ દઈ વિશ્વ, સિધાવ્યા યુગ વીર એક તેથી બન્યા મહાત્મા ને જગમાં વિશ્વવંદ્ય તે. ૩ હવે પરીક્ષિત રાજાને બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “ખટ્વાંગના પુત્ર દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર “રઘુ થયા. રઘુના પુત્ર અજ અને અજના પુત્ર થયા સુપ્રસિદ્ધ એવા મહારાજા દશરથ ! દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ પોતે જ પિતાના અંશાશથી ચાર રૂપે ધારણ કરીને એ મહારાજ દશરથને ચાર મહાન પુત્રી તરીકે જન્મી ચૂક્યા ! એમના નામ ક્રમથી (૧) રામ (સૌથી મહાન એવા ભગવાનરૂપ રામ) લક્ષમણ, ભરત અને

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362