Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 333
________________ ર૭૬ અને આશ્રમ પર જમદગ્નિ ઋષિ સિવાય કોઈ પુરુષ ન હતો. તે તકને દૂર્લાભ લઈ તે સહસ્ત્રબાહુ અજનના પુત્રો આશ્રમમાં એકાએક પહોંચી ગયા. જમદગ્નિ મહર્ષિ સાવ એકલા અગ્નિશાળામાં બેઠેલા હતા અને સમસ્ત વૃત્તિઓ સાથે એકમાત્ર ભગવાનના જ ચિન્તનમાં મગ્ન થઈ ગયા હતા. એમને બહારની કાંઈ સુધબુધ નહોતી. એ જ સમયે પેલા પાપીઓએ જમદગ્નિ ઋષિને તત્કાળ મારી નાખ્યા ! એ બધાઓએ પહેલેથી જ વૌરાગ્નિ સમાવવા આવી જાતને નિશ્ચય ક્યારેય કરી નાખ્યું હતું. તેથી ભગવાન પરશુરામનાં પૂન્ય માતાજી રેણુકા ખૂબ કરગર્યા. આ નિર્દોષ ઋષિને નાહકના કાં મારી નાખે છે ? પરંતુ એ બધાઓએ આ મહાનઋષિ પત્નીની એક વાત સાંભળી જ નહીં અને બળપૂર્વક મહર્ષિનું માથું કાપી સાથે જ લઈ ગયા. પરીક્ષિત ! વસ્તુતઃ જોઈએ તે તે નીચ ક્ષત્રિય અત્યંત કર હતા. સતી રેણુકા તે દુઃખ અને શેકથી આતુર બની ગયાં, એટલું જ નહીં બલકે છાતી અને માથું પટકી પટકીને જોરશોરથી રડવા લાગી ગયાં. એ મારા પરશુરામ! તું જ્યાં ગયે હા, ત્યાંથી જલદી જલદી અહીં આવી જ ! અને પરશુરામજીએ માતુશ્રીનું આ રૂદન સાંભળીને ત્યાંથી દેટ મૂકી ઝટપટ આશ્રમમાં આવી ગયા અને પિતાજીની આ દશા થયેલી જોઈ, તેઓ સુધાં ખૂબ ખૂબ વ્યાકુળ બની ગયા. જોરથી બોલી બોલીને મોટે મોટેથી રડવા લાગી ગયા. આ રીતે પરશુરામ ઘણું ઘણું દુઃખી તે થયા જ પણ સાથે સાથે તેના ગુસ્સાને પાર ન રહ્યો અને પિતાજીનું શબરૂપ બનેલું શરીર પોતાના ભાઈઓને સોંપી દીધું. પોતે પરશુ ઉઠાવી ક્ષત્રિયોને સંહાર કરવાને નિશ્ચય આપમેળે તરત કરી લીધે અને ત્યાંથી ચાલી નીકળ્યા. આમ પરીક્ષિત ! પરશુરામે તે માહિષ્મતી નગરીમાં જઈને સહસ્ત્રબાહુ અજુનના પુત્રોનાં માથાંઓ કાપી કાપી નગરીની વચ્ચે વચ્ચે એક મોટો ભારે પર્વત જ ઊભે કરી દીધા. જો કે માહિષ્મતી નગરીની શોભા તો બ્રાહ્મણઘાતી એ

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362