Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 341
________________ પુરૂની પિતૃભક્તિ નિભ ક નમ્રતા છે જ્યાં, ને વિશ્વાધીનના ન ; ત્યાં ભિક્ષુવૃત્તિવાળાઓ, નવાં મૂલ્યો રચી શકે. ૧ પાત્ર અસત્યપંથે , જાય તે પૂર્ણ અર્પણ ત્યાં ધરવા થકી અંતે, ઠેકાણે આવશે કદા. ૨ શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજન! આગળની વાત હવે સાંભળો. અહીં વિર રાજા યયાતિ જેવા ત્યાંથી પિતાના રાજ્ય તરફ ચાલ્યા ગયા કે તરત દેવયાની રેતી-કકળતી–પીટતી પિતાના પિતા શુક્રાચાર્ય પાસે પહોંચી અને શર્મિષ્ઠાએ પિતાને જે હાલ કર્યા હતા તે બધા જ કહી સંભળાવ્યા. શર્મિષ્ટાના આ વર્તનથી શુક્રાચાર્યજીને અતિશય ખરાબ લાગ્યું, એમનું મન જ ભાંગી ગયું. તેઓ પોતાના પુરહિતપણુંની ખૂબ નિન્દા કરવા લાગી ગયા. એમણે વિચાર્યું કે આવી પુરોહિતગીરી કરવી, એના કરતાં તે કબૂતર (પારેવાં)ની જેમ ખેતર કે બજારમાંથી દાણે દાણા ચણીને આજીવિકા ચલાવવી તે સારું ! આથી પિતાની કન્યા દેવયાનીને સાથે લઈ, તેઓ નગર છેડીને ત્યાંથી ઝટપટ ચાલી નીકળ્યા. જ્યારે વૃષપર્વાને આ ખબર પડી એટલે શંકા આવી ક રોષમાં ને રોષમાં ગુરુજી ચાલી નીકળ્યા છે, તે રખે શત્રુની છત કરાવી દે અથવા મને કદાચ શાપ દઈ દે. તેથી શુક્રાચાર્યજીને પ્રસન્ન કરવા તએ જાતે તેમની પાછળ પાછળ ગયા અને ગુરુચરણોમાં જઈ શિર ઢાળી દીધું. શુક્રાચાર્યને કે તો ક્ષણિક હેવાથી તરત જ ઊતરી ગયે. પણ પછી કહ્યુંઃ જે શિષ્ય વૃષપર્વા, હું મારી પુત્રી દેવયાનીને તો નહી જ છોડી શકું. માટે દેવયાનીની જે ઈચ્છા હોય તે તુ પૂરી કરાવી નાખ

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362