Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 318
________________ ૨૬૧ ધીશુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે : “ભગવાન શ્રી રામે ગુરુ વશિષ્ઠજીને પિતાના આચાર્ય બનાવીને ઘણી ઘણી ઉત્તમ સામગ્રીઓથી યુક્ત યજ્ઞો દ્વારા પોતાના સર્વદેવ રૂપ સ્વયંપ્રકાશિત આત્માનું પોતે જ યજન કર્યું, એમણે હેાતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ, અવર્યું ને પશ્ચિમ અને ઉદ્દગાતાને ઉત્તર દિશા આપી દીધી. અને એની વચ્ચે જે ભૂમિ વધેલી તે પણ ભગવાન શ્રી રામ આચાર્યને આપી દીધી. એમને એ નિશ્ચય જ હતું કે સંપૂર્ણ ભૂમંડળને એકમાત્ર અધિકારી તે નિઃસ્પૃહી બ્રાહ્મણ જ છે! આ પ્રકારે એમણે આખું ભૂમંડળ દાનમાં આપી દીધું. માત્ર શરીર ઉપરનાં વસ્ત્ર અને અલંકારો જ પિતા પાસે રાખ્યાં. એ જ પ્રકારે મહારાણું સીતા પાસે પણ કેવ માંગલિક વસ્ત્ર અને આભૂષણ જ બચેલાં. આવું જ્યારે આચાર્ય આદિ બ્રહ્માએ જોયું કે ભગવાન શ્રી રામ તો બ્રાહ્મણોને જ પિતાના ઈષ્ટદેવ માને છે, એમના હૃદયમાં બ્રાહ્મણે પ્રત્યે અત્યંત સ્નેહ છે, ત્યારે એમનાં હૈયાં દ્રવી ગયાં. તેઓ બધાએ પ્રસન્ન થઈને મળેલી આ બી પૃથ્વી ભગવાનને પાછી એ પી અને કહ્યું : “પ્રભુ ! આ૫ જ – અને આપ એક જ – સર્વ જગતના પરમ સ્વામી છે ! આપ તો અમારા હૃદયમાં રહી અજ્ઞાન તિમિરના આપના આમપ્રકાશથી નાશ કરી નાખે છે ! એટલે જે આવી સ્થિતિ છે, તે ભલા ! આપે અમને શું નથી આપ્યું ? બધું જ મૌલિક તવ આપી દીધું છે ! આપનું જ્ઞાન અનહદ છે, આપ જ સર્વશ્રેષ્ઠ જન પૈકી પણ સર્વશ્રેષ્ઠાતિશ્રેષ્ઠ છે. જે કાયાથી કે વચનથી તે નહિ જ, બલક મવી પણ નાના–મોટા જીવમાત્રને પિતાથી જરા પણ કષ્ટ નથી થવા દેતા, તેઓના હૃદયમાં આપનાં ચરણકમળ આ પે સેવા છે. છતા જયારે આપ બ્રાહ્મણોને પોતાની ઇષ્ટદેવ માને છે, ત્યારે અમે આપને આ મહાગુણને શી અંજલિ અપએ ? આપના આ રામરૂપને અમે વંદન-નમસ્કાર કરીએ છીએ.” “પરીક્ષિત ! આવા ભગવાન રામ એકદા પિતે રાત્રિને સમયે

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362