Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 226
________________ * ૨ [ આત્મતત્ત્વવિચારછે ! (૬) વૃત્તિકાંતાર એટલે આજીવિકાની પરાધીનતા અને શુદ્ધ ધર્મથી પ્રતિકૂળ નિરુપાયે કઈ પ્રવૃત્તિ કરવી પડે, તે સમ્યકત્વને ભંગ ન થાય. ક . છ ભાવના . : 'સમ્યકત્વને પુષ્ટ કરવા માટે છ પ્રકારની ભાવના ભાવવી આવશ્યક છે. ' ' : " સમ્યકત્વ એ ચારિત્રધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, એમ ચિંતવવું એ પ્રથમ ભાવના છે. મૂળ લીલું હોય, રસાલ હોય તો વૃક્ષ ફાલેફુલે છે, તેમ સમ્યકત્વ સુદઢ હોય તે ચારિત્રરૂપી વૃક્ષ ફાલે-ફૂલે છે, એ વિચાર આ ભાવનાથી દઢ કરવાને છે. ' સમ્યકત્વ એ ધર્મનગરમાં પેસવાનું દ્વાર છે, એમ ચિતવવું એ બીજી ભાવના છે. પહેલાના જમાનામાં નગર ફરતે કોટ બાંધવામાં આવતા અને તેમાં અમુક દરવાજા રાખવામાં આવતા. એ દરવાજા મારફત જ નગરમાં દાખલ થઈ શકાતું. આજે તે નગરની રચનાઓ ફરી ગઈ છે અને કેટ-કિલ્લાનું વિશેષ મહત્વ રહ્યું નથી. પરંતુ અહીં એ ભાવ હૃદયમાં દઢ કરવાને છે કે જે સમ્યકત્વરૂપી દરવાજો હશે તે જ ધર્મરૂપી નગરમાં દાખલ થઈ શકાશે અને તેમાં જે ઉત્તમોત્તમ વસ્તુઓ પડેલી છે, તેનાં દર્શન ન થઈ શકશે. . . , : ; , . . સમ્યકત્વ એ ધર્મરૂપી મહેલને પામે છે, એમ ચિંતવવું એ ત્રીજી ભાવના છે. પાયા વિના મહેલ ટકે નહિ, તેમ સમ્યકત્વ ] સમ્યકત્વ વિના ધર્માચરણ ટકે નહિ. આ સંબંધમાં કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયું છે. સમ્યકત્વ એજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણને નિધિ છે, એમ ચિતવવું એ ચેથી ભાવના છે. જે સમ્યકત્વરૂપ ભંડાર ન હોય તે મૂળ અને ઉત્તર ગુણરૂપી રન્ને છૂટાં શી રીતે રહી શકે? જે રત્ન છૂટાં પડ્યાં હોય તો તેને ઉપાડી લેવા માટે ચેર–બદમાશ વગેરે તૈયાર જ બેઠા હોય છે, તેમ આ મૂળ અને ઉત્તર ગુણરૂપી રન્ને છૂટાં પડ્યાં હોય તો તેને ઉપાડી લેવા રાગ અને દ્વેષરૂપી બળવાન ચોરે ભવભવથી તાકી રહેલા છે. ' સમ્યકત્વ એ ચારિત્રરૂપી જીવનને આધાર છે, એમ ચિતવવું એ પાંચમી ભાવના છે. જેમ પૃથ્વી સકલ વસ્તુનો આધાર છે, તેમ સમ્યકત્વ એ ચારિત્રરૂપી જીવનને આધાર છે. તાત્પર્ય કે જ્યાં સુધી સમ્યકત્વ હોય છે, ત્યાં સુધી શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ આદિ ગુણ રહે છે અને સમ્યકત્વ ન હોય તો એ ગુણે ટકી શકતા નથી. સમ્યકત્વ એ ચારિત્રરૂપી રસનું પાત્ર છે, એમ ચિંતવવું એ છઠ્ઠી ભાવના છે. શ્રત અને ચારિત્ર આત્મવિકાસ માટે અનુપમ વસ્તુ છે, પણ તે સમ્યકત્વરૂપી પાત્ર હોય તો જ ઝીલી શકાય છે. - આ રીતે સમ્યકત્વ સંબંધી જુદી જુદી રીતે વિચાર કરવાથી સમ્યકત્વ દઢ થાય છે અને તેમાં મલિનતા આવતી નથી. આ. ૨-૨૮

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257