Book Title: Avashyak sutrana Karta Kon
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249238/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? [૧૫] છ વર્ષ પહેલાં આત્માનંદ જેને પુસ્તક મંડલ, આગ્રા તરફથી “હિન્દી પંચપ્રતિક્રમણ’ પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રતિ કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાબુ ડાલચંદજી સિંઘી તરફથી ભેટરૂપે વહેંચવામાં આવેલી. તે નકલે જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણીઓ આવી, અને કોઈ ઉદાર ગૃહસ્થ તે પિતાના ખર્ચે ફરી તેવી આવૃત્તિ તૈયાર કરી છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઈચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણે પણ થયાંઃ (૧) હિન્દીમાં જ ખરતર ગચ્છના પ્રતિક્રમણ રૂપે, અને (૨) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લેકની અધિક માગણી અને થયેલાં અનુકરણો એ સામાન્ય રીતે કોઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા અગર વિશેષતાના સૂચક મનાય છે; પરંતુ એ બને બાબતે હોવા છતાં હું એ દૃષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયો નથી. સફળતાની મારી કસોટી તે ભારે આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણે પણ થયાં, છતાં એ આવૃત્તિથી મને પૂર્ણ સંતોષ થયો જ છે એમ નથી; તેથી મારે કસોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે. તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડોઘણે આશ્વાસ મળે છે તે એટલા સારું કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શક્ય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે. તેમાંની એક નવીનતા તે જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મનાતા વિષે તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્ત્રભાષામાં કે લેકભાષામાં નવીન દૃષ્ટિએ કશું લખાયું નહોતું તેના શ્રીગણેશ થયા, અને પ્રરતાવના દ્વારા એ દશામાં વિચાર કરવાની પહેલ કરી.. પ્રતિપાદક સેલીએ આવશ્યકનાં મૂલ તત્ત્વ સમજાવવાં અને એતિહાસિક દૃષ્ટિએ આવશ્યક સૂત્રના સમયને તેમ જ કર્તાને વિચાર કરે, તેમ જ વળી હમણાં હમણું વિન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચાર અને તેનાં પ્રતિપાદક સૂનું જૈનેતર સંપ્રદાયોના નિર્મ સાથે તેલન કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રકૃતિનું ૪૭. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ] દર્શન અને ચિંતન ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુષ્કળ કરે. તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણું વિગતો મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કરું તે પહેલાં જ હું એક બીજા જ, માથું ઊંચું ન કરી શકાય એવા, કાર્યભાર નીચે દબાયે. | દરમિયાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકને તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ જણાવા લાગ્યું. જોકે મદભેદ નહિ ધરાવનાર અવિધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તે પણ મતભેદ ધરાવનાર ટીકાકારેની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે, એવો દાવો તે હું ત્યારે જ કરી શકું કે જો મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હેય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારો હતા તેમાં આજે ડું પરિવર્તન પણ થયું છે અને તે જ બાબતે જે અત્યારે મારે લખવાની હોય તે બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે; તેમ ક્તા આવશ્યકસૂત્રના કર્તા વિશેને મારે વિચાર હજી બદલાય નથી, એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ. પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાના સમર્થન સામે તે કઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે ગૃહસ્થને લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લેકે માટે તે મતભેદ કે વિરોધના વિષય માત્ર બે છેઃ (૧) આવશ્યકત્રના કર્તા વિશેને મારે મત, અને (૨) જૈન આવશ્યક ક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ. બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકાને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને લગભગ સાર્વત્રિક થતું જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણી વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જે તેની સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તે તે કાર્ય કેઈ બીજે કરે, પરતું જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તે માત્ર પોતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણને અવકાશ ક્યાં ઓછા છે જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણ્યે-અજાણ્યે પણ પિતાના Page #3 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કાણુ ? [ ૯૩૯ ધર્મ તત્ત્વાનું ખીજાનાં ધર્માંતત્ત્વ સાથે યધાńક્ત તાલન કરે જ છે. અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસારી તાલનનો ઉદ્દેશ ગમે તે રીતે પોતાની વસ્તુને શ્રેષ્ડ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાને હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્ય શ્રી. હરિભદ્રજી અને ઉપાધ્યાય શ્રી. યવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબંધ વિચારો તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી, આપણે પ્રાચીન કાળમાં થયેલું એ જ બધું કાં કરીએ છીએ ? ધણુંયે જુનુ છેાડીએ છીએ અને નવું સ્વીકારીએ છીએ. જો તુલનાત્મક પદ્ધતિ સગાહ્ય થતી જતી હોય તો તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તેાલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છુ. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે. તેને આવિર્ભાવ માત્ર કુળ-જૈન કે રૂઢ-જૈનમાં જ હોય અને અન્યત્ર ન હાય એમ તે જૈન શાસ્ત્ર કહેતું જ નથી. જૈન શાસ્ત્ર ઉદાર અને સત્યગ્રાહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂઢિનું બન્ધન ન ગણકારતાં જ્યાં જેવું તત્ત્વ સ’ભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવક્રિયાની જૈનેતર નિત્ય ક' કે સન્ધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજા દૂષણ માને છે તેને હું ભૂષણ માનુ છું, અને આ વાતને વધારે તે સમય જ સિદ્ધ કરશે. પહેલા મતભેદને વિષય કર્તાના સમયને છે. ઉપલબ્ધ સંપૂ આવશ્યકસૂત્ર ગધકૃત નહિ, પણ અન્ય કાઈ વિસ્તૃત છે એવા મારા વિચારનું તાત્પ ને કાઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવશ્યકની પ્રાચીનતા વિષયક લશ્રદ્ધાના લાપ કરે છે અને તે દ્વારા આવસ્યકક્રિયાની મહત્તા ઘટાડી અન્તે તેના હાસમાં નિમિત્ત થાય છે, તે ખરેખર તે ટીકાકારા મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે, હું સંપૂર્ણ મૂળ આવશ્યકને ગણધરકૃત નથી માનતો, પણ તેના કર્તા વિરાને લગભગ ગુણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યકસૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કાઈ અંશમાં પ્રાચીનતા વિશે જો લોકવિશ્વાસ છે થાય તો તેથી ડરવાનું શું? ને વસ્તુ સારી અને શ્રેષ્ઠ ન હોય તે તેને કેવળ પ્રાચીનતાને પોષાક પહેરાવી જગતમાં કાઈ પણુ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે. તેથી ઊલટુ, જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાને! પોષાક નહિ હોય તોપણ તે પ્રતિષ્ઠિત જ થવાની, અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની. પરન્તુ આ પ્રલાભક તર્ક બળમાત્રથી હું કોઈને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઇચ્છતા. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલાં વર્ષે વ્યતીત થયાં. તે દરમિયાન Page #4 -------------------------------------------------------------------------- ________________ ′′] દર્શન અને ચિંતન આવશ્યકસૂત્રના કર્તા સબધા મુદ્દાઓને અગે મે પાતે પણ વિચાર કર્યાં છે, અન્ય વિદ્વાન મિત્રો સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારનાં પ્રમાણે! પર પણ જિજ્ઞાસાપૂર્વક વિચાર કર્યાં છે; ગ્રંથને પૂર્વાપર સંબંધ પણ વિચાર્યા છે અને તેમ છતાં મને મારા અભિપ્રાય અદલવાને કારણ મળ્યું નથી. આથી ઊલટુ, મતભેદ ધરાવનાર ટીકાકારોએ જે પ્રમાણો ટાંક છે તેમાં પણ મને તે મારા વિચારનું પોષણ થતુ સ્પષ્ટ લાગે છે અને ચિત્ તેમ નથી દેખાતુ પણ તેવાં પ્રમાણો મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે બાધ કરતાં તો જણાતાં નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવાં પ્રમાણે મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પર્ધા સાધક છે અને સામા પક્ષના વિચારને બાધક છે. હું આ સ્થળે એ બધાં પ્રમાણેાને ટૂંકમાં આપી તે તરફ વિચારાનું ધ્યાન ખેંચું છું કે જો હવે પછી કોઈ આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષનાં સાધક પ્રમાણોને સ્પષ્ટ રીતે મૂકશે તે હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જાણે તે સ્વમત કરતાં તેની જ કિંમત વધારે આંકીશ. સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગંધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે, એવા મારે અભિપ્રાય જે પ્રમાણોને આધારે મે' પ્રકટ કર્યો છે તે પ્રમાણા નીચે પ્રમાણે છે— < (૧) ૩ શ્રી. ઉમારવાતિજી પોતાના તત્વાર્થસૂત્ર-ભાષ્યમાં શ્રુતના "ગપ્રવિષ્ટ અને અગમાય એ બે ભેદનું વર્ણન આપતાં અંગખાદ્યના અનેક પ્રકારા ખતાવે છે, તેમાં તેઓએ · સામાયિક, તુવિ શતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાર્યાત્મ અને પ્રત્યાખ્યાનો છ આવશ્યકનાં અયનાને અગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યના પાર્ડ આ પ્રમાણે છેઃ अङ्गबाह्यमनेकविधम् । તથા-મ પ્રતિમ, યજ્યુસ :, પ્રત્યાયામ, हारौ, निशीथमृषिभाषितानीत्येवमादि । વિ તિતવઃ, વન, '', સત્તરાધ્યાયા:, વાા:, પંચલ - दे० ला० पु० प्रकाशित तत्त्वार्थेभाष्य, १० ९० ત્યાર બાદ તેઓશ્રી પોતે જ અંગવિશ્વ અને અગખાદ્ય એ બન્ને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિશે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીથંકર ભગવાનના ઉપદેશને આધારે તેઓના સાક્ષાત્ શિષ્ય ગણધરાએ રમ્બુ' તે અંગવિશ્વ અને જે Page #5 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેટજી : ૭૪૧ ગણધર–અનન્તરભાવી રે અર્થાત્ ગણધરવાજ નામ મેધાવી આચાયોએ રચ્યું તે અંગખા, કે તલના ભાષ્યના પાઠ આ પ્રમાણે છેઃ : अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः प्रतिविशेष इति ? वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भः सर्वज्ञैः सर्वदर्शिभिः परमविभिरर्हद्भिस्तत्स्वाभाय्यात् परमशुभस्य च प्राचनप्रतिष्ठापनफलस्य तीर्थकर नामकर्मणोऽनुभावादुक्त भगवच्छिष्यैरतिशयवद्भिरुतमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गेणध गणधरानन्तर्यादिभिस्त्वत्यन्त विशुद्वागनैः परम प्रकृदवाङ् मतिबुद्धि तदङ्गष्टम् । शक्तिभिराचार्यैः काल संहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोत तदङ्गबाह्यमिति ॥ -તે ન તરવાર્થમાધ્ય, પૃ. ૬૧-૨ વાચકીને આ ઉલ્લેખ બીજા ખવા ઉલ્લેખા કરતાં વધારે પ્રાચોન અને મહત્ત્વના છે. અન્ય પ્રમાણેનું ખળામળ તપાસતી વખતે પણ એટલું તા જ્યાનમાં રાખવું જ જોઈ એ કે વાચકશ્રી પોતે જે આવશ્યકને ધરકૃત માનતા હેત અગર ગણધર તથા અન્ય વિર એમ ભકૃત માનતા હત તો તેઓ માત્ર ‘ ળબપશ્ચાત્ મી ' વગેરે આચાર્ય કૃત કદી કહેત નહિ, અંગબાહ્યમાં ગણાતા આવસ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન પદે સૂત્રોના ક સબંધી ખીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હેવાતા સભર છે; કેમ કે (૧) તેઓશ્રી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓશ્રી અને ભગવાન મહાવીર વચ્ચે ખ ુ લાંભુ અન્તર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈન શાસ્ત્રના કર્તા સંબધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુંઅવળું લખવાને તેમને કશું જ કારણુ સંભવતું નથી. આ કારણોથી વાચકશ્રીને જરા પણ સંદેહ વિનાના ઉલ્લેખ માં મારા અભિ પ્રાય આંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયે (૨) વાયકશ્રીના ઉપર ટાંકેલ ભાષ્પ ઉપર ચીસો ગણની મોટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જૂની તો છે જ. તે ટીકા પહેલાં પણ તત્ત્વા ભાષ્ય પર ખીજી ટીકા હતી; તેનાં પ્રમાણ મળે છે. પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્ત ભાષ્યની વ્યાખ્યા તેએ એ કરેલી હોવી જોઇ એ, જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમને મન જુદો હોત તો જેમ તત્ત્વાર્થ ભાષ્યનાં અનેક સ્થામાં પ્રાચીન મત બતાવી પછી પોતાના અંતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેએ ચીન કે કારાના મતભેદ ત; પણ તેઓએ તેમ ક્યું નથી. હંસરથી એ તે સ્પષ્ટ છે કે સિદ્ધસેન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨] દર્શન અને ચિંતન > < ગણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકામાં પોતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કાંઈ પણ મતભેદવાળુ જણાયેલું નહિ. આજ કારણથી શ્રીસિદ્ધસેન ગણિનું પ્રસ્તુત ભાનું વિવેચન એ એમના વખત સુધીની અંગવિષ્ટ અને અંગાસ્ત્રના ભેદ સંબંધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબૂલ કર્યાં વિના ચાલતુ' નથી. શ્રી. સિદ્ધસેન ગણિ ભાષ્યગત · સામાયિક... પ્રત્યાખ્યાન આદિ શબ્દોના અર્થ સ્પષ્ટ રીતે - સામાયિક અધ્યયન...પ્રત્યા ધ્યાન અધ્યયન’એ પ્રમાણે જ કરે છે; અને ળવાનન્તĮફિમિઃ' એ પદા અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જમ્મૂ, પ્રભવ વગેરે એટલો જ ફરે છે, અને તે દ્વારા તેઓશ્રી પોતાનું ખાસ મન્તવ્ય મુચવે છે કે અગમાણુ, જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે, ગધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબૂ તથા પ્રભવ આદિ અન્ય આચાર્ય કૃત છે. તેની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છેઃ - समभावो यत्राध्ययने वण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति — सामायिकमिति । एव सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारा दुप. कारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् - प्रणामः स मै कार्यः कस्मै च नैति यत्र वण्यते तत् वन्दनम् । असंयमस्थानं सप्तस्य यतस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पारस्य यत्र काय परित्यागेन क्रियमाणेन विशुद्धिगख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र भूलगुणा उत्तरगुणाव धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । -डे० ला० पु० प्रकाशित तत्वार्थभाष्यटीका, प्रु० ९. . ' કેટલાક એવી લીલ કરે છે કે ભાષ્યમાં જે સામાયિક, ચતુર્વિં શતિસ્તવ... પ્રત્યાખ્યાત ' આદિ શબ્દ છે તે આવસ્યકના અધ્યયન–મેાધક નહિ, પરન્ત તે તે અધ્યયનની નિયુક્તિના મેધક છે; અર્થાત્ અગબાહ્યમાં આવશ્યક-નિયુ ંક્ત જ ગણવી જોઈએ. તેની આ દલીલ કેટલી ટકી શકે છે તે પણ જોઈએ. (૬) જો વાચકશ્રીને સામાયિકાદે પોથી સામાયિક અધ્યયન અાદિની નિયુક્તિ જ વિવક્ષિત હોય તે તેઓશ્રી પોતે જ નિયુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયોગ શા માટે કરે? (૬) કાઈ પણ શબ્દને લાક્ષણિક અથ કરવામાં મૂળ અર્થના આધ ા જ જોઈએ. જ્યાં સુધી શબ્દ મૂળ અર્થ બાધિત ન થતા હોય ત્યાં. Page #7 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કાણુ ? [ $૪૩ સુધી તેને લાક્ષણિક અર્થ માનવા એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમેાનું ઉત્થાપન કરવા જેવું છે. (1) ઘડીવાર મૂળ અર્થના ખાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તેપણ એ પ્રશ્ન તો થાય જ છે કે શ્રી. સિદ્ધસેનગણિ, જે પોતાના પૂર્વ ટીકાકારાને અનુસર્યો છે તેએ, શું તેવા લાક્ષણિક અથ કરવાનું નહાતા નણતા અથવા ખીજી કોઈ પણ રીતે ભાષ્યના એ શબ્દે નિયુક્તિઓધક છે એવું સાબિત કરી શકતા ન હતા? (૫) ધડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દપ્રયોગ રાળ ન હતા, ટીકાકાર શ્રી. સિદ્ધુસૈન ણુ પણ ભૂલ્યા, પરન્તુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદોના નિર્યુક્તિપરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરાધ ઉપસ્થિત થાય છે જે નિયુક્તિના લાક્ષણિક અથની લીલને ક્ષણમાત્ર પણ ટકવા દેતા જ નથી, તે વિરાધ તે આ ઃ— < અગબાહ્યમાં વાચકશ્રીએ ‘ આવશ્યક ' પ્રથમ ગાળ્યુ છે, અને આવશ્યકતા અર્થ વિરોધી ટીકાકાશ - નિયુક્તિ ' ફરે છે, એટલે તેના કથન પ્રમાણે અગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિયુક્તિ આવે છે. હવે અગાહના રચયિતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર અને ગળધરાનાઁયિમિઃ ' એ પથી શ્રી. જમ્મૂસ્વામી તથા શ્રી. પ્રણવવામીને નિર્દેશ કરે છે; એટલે અગાજીમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિયુક્તિ એ શ્રી. જખૂસ્વામી કે શ્રી. પ્રભવસ્વામીકૃત હાય એવુ ભાન થાય છે કે જે અસંગત છે, કારણ કે નિયુક્તિકાર તા શ્રી. ભદ્રખાહુસ્વામી જ છે, એ વાત જાણીતી જ છે. એટલે આવશ્યક પદથી આવશ્યકનિયુક્તિ વિવક્ષિત હોય તે શ્રી. ભદ્રબાહુસ્વામીનુ નામ છેવટે ટીકામાં તા આવવું જ જોઈએ, કે જે કર્યાંય પણ નિર્દિષ્ટ નથી. (૩) ભાષ્ય અને તેની ટીકા એ બન્નેનાં ઉપર ટાંકેલાં પ્રમાણા જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય શ્ર. યશાવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરથી વૃત્તિ જોવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં સામાયિક પ્રત્યાખ્યાન' આદિ આવસ્યકનાં છએ અધ્યયનાને ‘ આવશ્યક શ્રુતસ્કન્ધુ ’ એ પ્રકારના અથ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગખાદ્ય જેમાં તેઓશ્રી પાતે પ્રથમ જ * આવશ્યક શ્રતસ્કન્ધ' તે સમાવેશ કરે છે તેને ગધરપશ્ચાદ્ભાવી શ્રી. જમૂવામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે. તેની વૃત્તિના તે ભાગ નીચે પ્રમાણે છે ઃ— Page #8 -------------------------------------------------------------------------- ________________ -૭૪૪ ] દર્શન અ, ચંતન गणधरा इन्द्रभून्यादयः, तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः। ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदियेषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः ।। सामायिकं समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थान प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तन यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यते तत् प्रत्याख्यानम् । एतैरभ्ययनरावश्यकश्रुतस्कन्ध उक्तः।। -मनसुखभाई भगुभाई प्रकाशित श्रीयशोविजयजीकृत तत्वार्थ व्याख्या, पृ. ५० ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નયાયિક અને આગમિક વિશે કોઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તે તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝયું નહિ. ઉપાધ્યાયજી વિશેષાવશ્યકભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથના ઊંડા અભ્યાસી હતા અને વળી ભલધારી શ્રી. હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી, તેથી જ તેઓને આવશ્યક અર્થ નિર્યુક્તિ પરક કરવાનું ગ્ય લાગ્યું હતું તે તેઓશ્રી પિતાની તત્વાર્થભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરંતુ તેમ ન કરતાં જે સીધે અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી. સિદ્ધસેન ગણિની ટીકાના વિચારને પિોષક છે એમ કબૂલ કરવું જ પડશે. (૪) તત્ત્વાર્થભાષ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણેનું સંવાદી અને બલવત સ્પષ્ટ પ્રમાણે એક એથું પણ છે, અને તે છે સેનપ્રશ્નનું. સેનપ્રશ્નના પૃ. ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લેગસ સૂત્રને શ્રી. બહુસ્વામીકૃત કર્યું છે; તો શું એ એક જ સૂત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકનાં બધાં સૂત્રો શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તે એ બધાં સૂત્ર ગણધરકૃત છે? આને ઉતર સેનપ્રશ્નમાં જે આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાન આપવા જેવો છે. તેમાં કહ્યું છે કે “આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ કૃત ગણુધરેએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહ્ય શ્રત શ્રતસ્થવિરાએ રચેલું છે, અને એ વાત વિચારામૃતસંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લોગસ્સસુત્રની રચના શ્રી, ભદ્રબાહુસ્વામીની છે અને અન્ય આવશ્યકસૂત્રોની રચના નિર્યુક્તિરૂપે તે તેઓની Page #9 -------------------------------------------------------------------------- ________________ આવકસૂત્રને કર્તા કોણ ? [ ૭૪૫ જ છે, અર્થાત્ લોગસ્સનું મૂળ સૂત્ર શ્રી. ભદ્રબાહુવામીકૃત છે અને બાકીનાં આવશ્યકસૂત્રાની નિયુક્તિ જ માત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે. પરન્તુ લેગસ્સ સિવાયનાં અન્ય આવશ્યકનાં સૂત્રે તે શ્રી. ભાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતવિાનાં રચેલાં છે.' એ તે પ્રશ્નના ઉત્તરકથનનો સાર છે. સેનપ્રશ્નના સંપૂર્ણ પાડ઼ે આ પ્રમાણે છે ઃ— आवश्यकान्तभूतश्चविंशतिस्तवस्वारातीय कालभाविना श्रीमद्रबाहुस्यामिनाङकारीत्याचाराङ्गवृत द्वितीयाध्ययनस्यादौ तस्य किमेइमेव सूत्र भद्रबाहुनाकारे सम्वणि वा आवश्यकसूत्राणि कृतान्युन पूर्वगगध े: कृतानीति किं तत्त्वमिति प्रश्नः ! अत्रोत्तरं - आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभूद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गेकदेशोपजीवनेन स्थविरैः कृतमिति विचारामृत प्रहाऽऽवश्यक वृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रावामिनाऽऽवश्यकान्तर्भूतवतुर्विंशतिस्तवरचनमपराऽऽवश्यकरचनं च निर्यु किस्मतया कृतमिति भावार्थ: श्रीआचाराङ्गत 'तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ મેનશ્ર, પૃ॰ ૧૧, ૪ ૧૨ ઉપરનાં ચારે પ્રમાણેો જ્યાં સુધી ખાટાં સાબિત ન થાય ત્યાં સુધી હું મારા અભિપ્રાય બદલું તો તેના અર્થ એ જ થાય કે વિચાર · વિનાની કાઈ પણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી. આવશ્યકત્ર ગધરષ્કૃત નહિ, પરન્તુ અન્ય વિકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનારાં જે પ્રમાણા મારા જોવામાં આવ્યાં તે ઉપર ઢાંકયા પછી હવે આવશ્યકસૂત્રને ગણધરષ્કૃત માનનાર પક્ષનાં પ્રમાણાનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણી ટાંકવામાં આવે છે. તે આગમાધ્યમિતિ દ્વારા પ્રકાશિત થયેલ વિશેષાવશ્યકભાષ્યના ગુજરાતી અનુવાદ ભા. ૧ માં ઉપોદ્ઘાતના પૃ. ૨ ઉપર જોવામાં આવે છે. આ પ્રમાણેાની પરીક્ષાની સગવડ ખાતર હું તે સર્વને ચાર વિભાગમાં વહેંચી નાખું છું: (૧) આવશ્યક કાણે કર્યું... એ પ્રશ્નના ઉત્તર માટે જૈનત દ્વારનું વિવરણ, ( ૨ ) ભગવાન પાસેથી શ્રીગૌતમાદિને સામાયિક આદિ સાંભળવાના પ્રયાજનનું વર્ણન, ( ૩ ) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વણૅન, અને (૪) અગપ્રવિષ્ટ તેમ જ અંગમાલ શ્રુતની વ્યાખ્યા. (૧) સામાયિક આવશ્યક કાણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી. જિનભગણિ ક્ષમાત્રમણની ગાથા નીચે પ્રમાણે છે : Page #10 -------------------------------------------------------------------------- ________________ દશન અને ચિંતન केणकयं ति य क्वहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओऽणन्नं ॥ -विशेषावश्यकसूत्र, गाथा ३३९२ વિશેષાવશ્યકભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપેઘાતની ટિપ્પણમાં આ ગાથાને અર્થ આ પ્રમાણે કર્યું છે: “સામાયિક, જે આવશ્યકસૂત્રને એક પહેલે ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે.” પરંતુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતો કે નથી તેની માલધારી શ્રી. હેમચંદ્રકૃત ટીકામાંથી. ઊલટું આ નકૃત દ્વારનું વર્ણન તે સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરુદ્ધમાં જ જાય છે, આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે સામાયિક કોણે કર્યું?” અને તેને ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપે છે કે “ વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરે અને ગણુધરેએ કર્યું છે, પરંતુ નિશ્ચયદષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ સાથું માનિ , સૂર્ત જન્યરિત કાળ ના એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુરૂપે શ્રી તીર્થકરેએ ઉપદેશ્ય અને સુત્રરૂપે શ્રી ગણધરેએ રચ્યું; પરન્તુ જેનવૃત્ત દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એને ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કેણે કર્યું અને સત્ર દ્વારા કેણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી. એમાં તો સામાયિક, જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મિક પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિકરૂ૫ આત્મિક પરિણામના નિશ્ચયષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે " અને વ્યવહારદષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશકે, પ્રેરકે અર્થાત્ સામાયિકરૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થંકર, શ્રી ગણધર આદિ છે. તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ કે ગાથામાં વપરાયેલા “સ્વામી ' શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થે એટલે બધે સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળપાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલે જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સા. શ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિકરૂપ આમિક ગુણના વ્યાવહારિક અને નૈઋયિક કર્યાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશે જ સંબંધ નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકત્રના કર્તા કેણુ? [૭૪ (૨) સામાયિક અધ્યયનને શ્રીગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગૂજરાતી અનુવાદના ટિપ્પણમાં જે મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિક પરના ભાષણનું પ્રયોજન બતાવ્યા બાદ ગણધરોએ સામાયિક સાંભળ્યાના પ્રયજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે : गोयममाई सामाइयं तु किं कारण निसामेति । नाणस तं तु सुन्दरमंगुलमावाण उवलद्धी ॥ --विशेषावश्यकसूत्र, माथा २१२५ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેવા લાગે છે કે સામાયિક ઉપદેશ્ય તે ભગવાને, પણ રચ્યું ગણધરેએ, પરંતુ કોઈ પણ વિચારક આ ગાથાઓ કાઢી તેને અર્થ વાંચી આગળપાછળનું પ્રકરણ વિચારી જોશે તો તેને જણાશે કે એવો અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે. અહીં તે એટલું જ ઉદ્દિષ્ટ છે કે સામાયિક-આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણ ગણધરેએ પ્રથમ શા માટે કર્યું ? અર્થાત્ સામાયિકરૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણુધરેએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ત્રણ ધરએ સામાયિક સૂત્ર રચાની ગંધ સરખી પણ નથી. સામાયિક–આચાર સાંભળ, તેને જીવનમાં ઉતારે, તેનું ફળ મેળવવું, તેને વિચાર કરે એ જુદી વાત છે અને સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને વિચાર એ જુદી વાત છે. સામાયિક-આચારના શ્રવણ સાથે સામાયિક સૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક-આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ બ્રાંતિ નથી શું? (૩) એ જ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટિપ્પણુંમાં ત્રીજાં પ્રમાણ નિમાર વિશેનું છે. તેને લગતી ગાથા આ છે: मिच्छत्ताइतमाओ स निम्गो जह य केवलं पत्तो । जह य पसूर्य तत्तो सामाइयं तं पक्क्खामि ॥ –વિરોણાચવર્ક જાથા ૧૪૨ આને અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ માથામાં તે ભગવાન શ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્ની જે પ્રકારે કેવળજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તે એટલું જ કથન છે કે ભગવાનથી સામાવિક–આચાર શી રીતે ઉદ્ભવ્યો, પરંતુ આ Page #12 -------------------------------------------------------------------------- ________________ છ૪૮ ] દર્શન અને ચિંતન ગાથામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યકસૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણુધરેએ ઝીલ્યો, તેની તે કણ ના પાડે છે? પ્રશ્ન સૂત્રરચનાને છે. તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી. (૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની વ્યાખ્યાઓ વિશેનું તે જ ટિપ્પણમાં ટાંકવામાં આવ્યું છે. તેની ગાથા આ છે : गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा अंगा-णगेसु नाणत्त ।। –વિશેષા રચવત્ર, નાથા પર આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક શ્રતને લાગુ પડતી હોવાથી તે જ આવશ્યક સૂત્રના કર્તાને નિર્ણય કરવામાં વધારે, બધે ખાસ, ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિશેની પ્રસ્તુત ભાષ્યગાથા અને તેના ઉપરની મલધારીત ટીકા એ બન્નેને આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઊહાપોહ કરી લે જરૂરનો છે. • વિશેષાવશ્યકભાષ્યના પ્રણેતા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થભાષ્યના પ્રણેતા વાચક શ્રી. ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂલભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુકિત) હતે. તે વખતની આવશ્યકનિર્યુક્તિની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર તે તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે : अश्खरसणीसम्म साइयं खलु सपज्जवसिय च । गमियं अंगविट्ठ सत्त वि एए सपडिवखा ॥ -विशेषावश्यकसूत्र, गाथा ४५४ આ ઉપર્યુક્ત મૂળ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને નિર્દેશ છે. તે ગાથાની તે વખતની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારે જ વાચકશ્રીએ પિતાના તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વિવેક કરેલે હવે જોઈએ, અથવા તે ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યકનિયુક્તિતી એ ગાથાને અર્થે એમના ધ્યાન બહાર ન જ હવે જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે Page #13 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કેશુ? [ ૭૪૯ અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિર્યુકિતની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ, એમ માનવામાં જરાયે અસ્વાભાવિક્તા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યકનિકિતની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્ય શ્રતના સ્વરૂપનો નિર્ણય કરવામાં જૂનામાં જૂને આધાર આપણી પાસે તત્ત્વાર્થ. ભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્વાર્થભાષ્ય તે સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધરપશ્ચાદ્ભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્ય શ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકનાં છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાઘની વ્યાખ્યા સંબંધીને આવશ્યક નિર્યુકિતની ગાથાને ઉપયોગ કરવો જ હોય તે તે તત્ત્વાર્થભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી. હવે લઈએ એ નિયુકિત-ગાથા ઉપરનું વિશેષાવશ્યકભાળ્યું. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિર્યુક્તિની જૂનામાં જૂની અને મોટામાં મેટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે, અર્થાત ક્ષમાશ્રમણત્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતનો ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યા આપ્યા છતાં મૂલ ભાષામાં ભાષ્યકારે અંગપ્રષ્ટિ અને અંગબાહ્ય શ્રુતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રંથને નિદેશ ભાગના ટીકાકાર મલધારી શ્રી. હેમચંદ્ર પિતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીએ જે ઉદાહરણે ટાંક્યાં છે તે પોતાની પૂર્વવતી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. માલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર જે ટીકાઓ હોવાનાં પ્રમાણ મળે છે તેમાં એક તે પણ અર્થાત ક્ષમાશમણબીની પિતાની અને બીજી કોહ્યાચાર્યની. તત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રી. સિદ્ધસેન ગણુિ માલધારીશ્રીના પૂર્વવર્તી છે. તેમની સામે ઓછામાં ઓછું વિશેષાવશ્યક ભાષ્ય અને તેની સ્વોપજ્ઞ ટીકા એ બે તે અવશ્ય હેવાં જ જોઈએ. તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના કવબેધક “જળધરાનામિ એ તત્વાર્થભાષ્યગત પદની વ્યાખ્યા, જે પહેલાં ઉપર ટકી છે તે પ્રાચીન પરંપરાની વિરુદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી. સિદ્ધસેનગણિ તે એ પદને અર્થ ગણધરવંશજ શ્રી. જંબૂ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ ] દર્શન અને ચિંતન સ્વામી, શ્રી. પ્રભવસ્વામી વગેરે આચાય એવા સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષાવશ્યકભાષ્ય અને તેની સ્વપન ટીકાના અંગમાઘુના કર્તા વિશે આશય કાઢવા જ હાય ! એ જ કાઢી શકાય કે ગંધરભિન્ન શ્રી. જમ્મૂ, પ્રભવ વગેરે સ્થવિરાએ જે શ્રુત રચ્યું તે જ અંગખાલ. વિશેષાવશ્યકભાષ્યની ઉપલબ્ધ અને અતિવિસ્તૃત ટીકા મલધારીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓનાં ઉદાહરણો પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિયુક્તિ, તે ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય અને એ ભાષ્યની મલધારીકૃત ટીકા એટલાં તે છામાં ઓછાં હતાં જ. તેથી ઉપાધ્યાયત્રીની તત્ત્વાર્થં ભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્ય શ્રુતના કર્તા સંબધે જે વિચાર છે અને જેને ઉપર ટાંકયો છે તે પ્રાચીન ગ્રંથકાર ના અભિપ્રાયને લક્ષમાં રાખ્યા સિવાય તે લખાયેલ ન જ હોવા જોઈ એ. ઉપાધ્યાયશ્રીની ત્તિ અને સેના તે સ્પષ્ટ રીતે અંગખાદ્યને ગણધરભિન્ન આચાર્ય પ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે. પૂર્વોપર આયાૌના વિચારસામ્યની કલ્પના ઉપર ઊભી કરેલ અનુમાનાત્મક લીલને છેડી હવે સીધી રીતે .મલધારીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીએ. ભાષ્યની પ્રસ્તુત ગા૦ ૫૫૦ મીની મલધારીકૃત ટીકા નીચે પ્રમાણે છેઃ अंगानं प्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । વિમ્ इत्याह गणधरा गौतम स्वाम्यादयः, तत्कृतं श्रुत द्वादशांगरूपमगप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः, तत्कृतं श्रुतमावश्यक नियुक्त्या दिकमनं गप्रविष्टमगबाह्यमुच्यते । अथवा वास्त्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेशः प्रतिवचनमुत्पाद-व्यय-प्रौम्य वाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यन्निष्पन्नं तदंगप्रविष्टं द्वादशांगमेव, मुक्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, તસ્માસ્મિનનને ત્રાધામઘોયો, तच्चावश्यकादिकम् । वा शब्दोंsगाडन ग प्रविष्टत्वे पूर्वोक्तमेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'ध्रुव-चलविसेसओ वत्ति सर्वतीर्थकर तीर्थेषु नियतं निश्चयभावि श्रुतमं प्रविष्टमुच्यते द्वादशांगમિતિ । यत् पुनश्चलमनियत भावि तत् तन्दुवैका लिकप्रकरणादिश्रुतम गब्राह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्वसूचकः । इदमुक्तं भवति - गणधरकृतं, पदत्रयलक्षणतीर्थ करा देश निष्पन्नं ध्रुवं च यच्छुतं तद्गप्रविष्ट मुच्यते तच्च द्वादशांगीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं बलं च तदावश्यक प्रकीर्णादिश्रुतम गवाह्य ' મિતિ । . . Page #15 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્રના કર્તા કાણુ ? [ ૭૫૧ આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અગબાહ્ય શ્રુતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણો છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. (૪) પહેલી વ્યાખ્યામાં અગપ્રવિષ્ટને શ્રી. ગૌતમ આદિ ગુણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગ જીતને મૂકયુ છે, અને અંગખાદ્યને શ્રી. ભદ્રબાહુ આદિ વિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિયુક્તિ વગેરે શ્રત દર્શાવ્યું છે. ( લ ીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થંકર દ્વારા ઉપદેશાયેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રુતને અંગવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ શ્રુત તે દ્વાદશાંગી રૂપજ છે એવા ખાસ ભાર મૂકી મલધારીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કહ્યું છે અને ટુ વાયુ તેમ જ પ્રશ્ન વિના જે અપ્રતિપાદન થયું... હાય તેના ઉપરથી રચાયેલ શ્રુતને અંગખાદ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રુત અંગખાદ્ય છે એમ કહેવામાં આવ્યું છે. (T) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીથંકરાના તીથ'માં અવશ્યંભાવી તરીકે ખતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીથમાં નિયમથી ન હાનાર શ્રુતને અંગખાલ તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તન્દુલવૈકાલિક આદિને મૂકયુ છે. પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી. ભદ્રખાહુસ્વામી આદિ અને આવશ્યકનિયુક્તિ આદિએ એ પદો ખાસ ધ્યાન ખેંચે છે. જ્યાં સુધી સંપૂ આવસ્યકત્ર શ્રી, ભદ્રખાહુસ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આવશ્યકનિયુક્તિ એ સામાસિકપદને ન્દ્ર સમાસને ખલે સામા પક્ષને અનુકૂલ એવા તત્પુરુષ સમાસ જ લેવા જોઈએ; અને એ સમાસ લેતાં તેના અર્થ એટલા જ થાય કે આવશ્યકનિયુક્તિ વગેરે જે શ્રુત શ્રી. ભદ્રબાહુ વગેરેનું અનાવેલું છે તેને અંગબાજી સમજવું. નિયુક્તિ શ્રી. ભદ્રબાહુસ્વામીની હોવાની પ્રસિદ્ધિ આબાલવૃદ્ જાણીતી છે, તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉપરથી મૂલ આવસ્યકસૂત્રના કર્તા વિશે કશે જ પ્રકાશ પડતો નથી. ખીજી વ્યાખ્યામાં અગખાલના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છૂટાછવાયા ૐ પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યુ છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસ ંદિગ્ધપણે સાબિત કરતા પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને અરૂપે તીય કરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરકૃત કેમ માની શકાય? Page #16 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અને વળી જ્યારે ઊલટાં અનેક વિધી પ્રમાણા આવશ્યકસૂત્રને ગંધરભિન્ન આચાર્ય પ્રણીત ખતાવનારાં મળતાં હોય ત્યારે એમ માનવું એ તે સ્પષ્ટ પ્રમાણાની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગુણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગધરકૃત જ છે એમ કાંઈ લિત થતું નથી. મલધારીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્ત્વાર્થં ભાષ્ય આદિના ઉલ્લેખાને ધ્યાનમાં લઈ) અથ કાઢવા જઈએ તે સરલપણે એટલા જ અથ નીકળી શકે કે વગર પ્રશ્ને જતી કર્ના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગખાર્થે. આટલા અર્થ આવશ્યકના કર્તા તરીકે કાઈ વ્યક્તિને નિર્ણય કરવા ખસ નથી. તેવા નિર્ણય માટે તે વિવાદથ્રસ્ત સ્થળમાં સ્પષ્ટ પ્રમાણે જોઈએ. જો તત્ત્વાર્થભાષ્ય આદિનાં ઉપર ટાંકેલાં ચાર સ્પષ્ટ પ્રમાણે આપણી સામે ન હેત તે મલધારીની ટીકાનો અધ્યાહારવાળા ઉલ્લેખ ગણધરને આવસ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેમાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયેાગી નથી, તેથી તે પર વિચાર કરવા એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારી શ્રી. હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કાઈ સ્પષ્ટ પુરાવા પૂરે! પાડતી નથી. તેથી મૂલ નિયુક્તિ, તેનુ ભાષ્ય અને મલબારીકૃત ટીકા એ બધાં, તત્ત્વા ભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખાને સવાદી અને એ રીતે જ ઘટાવવાં જોઈ એ. પર છેલ્લે એક પ્રશ્ન રહે છે અને તે એ કે ભગવાન શ્રીમહાવીરે પ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો. જ્યારે તેઓશ્રીએ પોતાના શિષ્યપરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્યકતા વ્ય તરીકે ઉપદચ્યું ત્યારે તે શિષ્યપરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઈ ને કાંઈ શબ્દો, વાકયો કે સૂત્રો ખેલતાં જ હશે. જો એ શિષ્યપરિવાર સમક્ષ પ્રતિક્રમણવિધાયી શબ્દપાઠ ન હોય તા તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે? અને જો શબ્દપાઠ હોય તે તે પાઠ ગણધર સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલા, અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધર કૃત જ છે એ મતલબનુ કાઈ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણધરભિન્નકૃત હોવાનાં એકથી વધારે સ્પષ્ટ પ્રમાણો મળે છે ત્યારે એમ જ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યકસૂત્રના કર્તાને પ્રશ્ન ચવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવું જોઈ એ કે જેના ઉપર શ્રી. ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ મળે છે તે. ખધાં સૂત્રો નિયુક્તિથી પ્રાચીન તે છે જ અને એ સૂત્રેાના કર્તાની જ આ સ્થળે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં બધાં સૂત્રો અક્ષરશઃ નિયુક્તિપૂર્વભાવી નથી. ધણાં સૂર્વે દેશ, કાલ Page #17 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂરના કર્તા કેશુ? [ 53 આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિતિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રોને નિયંતિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યના માનીએ છીએ. તેવી રીતે ગણધર સુધમાંથી માંડી શ્રી. ભદ્રબાહુસ્વામી સુધી અનેક સૂત્રો રચાયેલાં હેવાં જ જોઈએ. તેથી જ શ્રી. સિદ્ધસેન ગણિ વગેરે આવશ્યકત્રને શ્રી જંબુ, પ્રભવ આદિ આચાર્ય પ્રણંત કહે છે. અલબત્ત, એ સૂત્રસમૂહમાં કઈ કઈ સત્ર ગૌતમાદિ ગણધરત પણું હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે, પણ અહીં મારો મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવકના કત સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે છે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરત નથી. આથી કોઈ અમુક સૂત્ર ગણધરકૃત હેય એમ માનવામાં કશું જ બાધ નથી અને તેથી જ શ્રી. હરિભદ્રસૂરિના ઈરિયાવહિય સૂત્ર ગણુધરકથિત છે” એવા મતલબને ઉલ્લેખને પણ વટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકનાં સૂત્રો કઈ એક જ કર્તાની કૃતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી. જંબુ, પ્રભવ આદિ અનેક સ્થવિરે હોય તે સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી ઈ વિચારક સંપૂર્ણ આવશ્યકમુત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલેખે રજુ કરશે તે તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણે નુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણેનું બલબલ તપાસવા પ્રયત્ન થશે. સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરકૃત નથી, તેમ જ તેનાં બધાં સૂત્રો કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં કયાં કયાં આવશ્યકને લગતાં સૂત્રે વ્યહવારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સુત્રો ચાલુ રહીને નવીન સૂત્રો કયાં કયાં ક્યારે ઉમેરાયાં, તેમ જ નવીન સુ દાખલ થતાં કયાં અને કેટલાં પ્રાચીન સુત્ર વ્યવહારમાંથી અદ્રશ્ય થયાં અગર તે રૂપાન્તર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્ર કોની કોની કતિ છે ? –આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેને ઊહાપોહ કરવાનું મન નથી એમ તો નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનેનું આ બાબત તરફ લક્ષ ખેંચું છું. આશા છે કે વિદ્યારસિકે આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે. –જૈન સાહિત્ય સંશોધક ખ 3, અંક 2. 48