________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ?
[૧૫] છ વર્ષ પહેલાં આત્માનંદ જેને પુસ્તક મંડલ, આગ્રા તરફથી “હિન્દી પંચપ્રતિક્રમણ’ પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રતિ કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાબુ ડાલચંદજી સિંઘી તરફથી ભેટરૂપે વહેંચવામાં આવેલી. તે નકલે જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણીઓ આવી, અને કોઈ ઉદાર ગૃહસ્થ તે પિતાના ખર્ચે ફરી તેવી આવૃત્તિ તૈયાર કરી છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઈચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણે પણ થયાંઃ (૧) હિન્દીમાં જ ખરતર ગચ્છના પ્રતિક્રમણ રૂપે, અને (૨) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લેકની અધિક માગણી અને થયેલાં અનુકરણો એ સામાન્ય રીતે કોઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા અગર વિશેષતાના સૂચક મનાય છે; પરંતુ એ બને બાબતે હોવા છતાં હું એ દૃષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયો નથી. સફળતાની મારી કસોટી તે ભારે આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણે પણ થયાં, છતાં એ આવૃત્તિથી મને પૂર્ણ સંતોષ થયો જ છે એમ નથી; તેથી મારે કસોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે. તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડોઘણે આશ્વાસ મળે છે તે એટલા સારું કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શક્ય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે. તેમાંની એક નવીનતા તે જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મનાતા વિષે તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્ત્રભાષામાં કે લેકભાષામાં નવીન દૃષ્ટિએ કશું લખાયું નહોતું તેના શ્રીગણેશ થયા, અને પ્રરતાવના દ્વારા એ દશામાં વિચાર કરવાની પહેલ કરી..
પ્રતિપાદક સેલીએ આવશ્યકનાં મૂલ તત્ત્વ સમજાવવાં અને એતિહાસિક દૃષ્ટિએ આવશ્યક સૂત્રના સમયને તેમ જ કર્તાને વિચાર કરે, તેમ જ વળી હમણાં હમણું વિન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચાર અને તેનાં પ્રતિપાદક સૂનું જૈનેતર સંપ્રદાયોના નિર્મ સાથે તેલન કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રકૃતિનું
૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org