SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કાણુ ? [ ૭૫૧ આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અગબાહ્ય શ્રુતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણો છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. (૪) પહેલી વ્યાખ્યામાં અગપ્રવિષ્ટને શ્રી. ગૌતમ આદિ ગુણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગ જીતને મૂકયુ છે, અને અંગખાદ્યને શ્રી. ભદ્રબાહુ આદિ વિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિયુક્તિ વગેરે શ્રત દર્શાવ્યું છે. ( લ ીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થંકર દ્વારા ઉપદેશાયેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રુતને અંગવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ શ્રુત તે દ્વાદશાંગી રૂપજ છે એવા ખાસ ભાર મૂકી મલધારીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કહ્યું છે અને ટુ વાયુ તેમ જ પ્રશ્ન વિના જે અપ્રતિપાદન થયું... હાય તેના ઉપરથી રચાયેલ શ્રુતને અંગખાદ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રુત અંગખાદ્ય છે એમ કહેવામાં આવ્યું છે. (T) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીથંકરાના તીથ'માં અવશ્યંભાવી તરીકે ખતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીથમાં નિયમથી ન હાનાર શ્રુતને અંગખાલ તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તન્દુલવૈકાલિક આદિને મૂકયુ છે. પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી. ભદ્રખાહુસ્વામી આદિ અને આવશ્યકનિયુક્તિ આદિએ એ પદો ખાસ ધ્યાન ખેંચે છે. જ્યાં સુધી સંપૂ આવસ્યકત્ર શ્રી, ભદ્રખાહુસ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આવશ્યકનિયુક્તિ એ સામાસિકપદને ન્દ્ર સમાસને ખલે સામા પક્ષને અનુકૂલ એવા તત્પુરુષ સમાસ જ લેવા જોઈએ; અને એ સમાસ લેતાં તેના અર્થ એટલા જ થાય કે આવશ્યકનિયુક્તિ વગેરે જે શ્રુત શ્રી. ભદ્રબાહુ વગેરેનું અનાવેલું છે તેને અંગબાજી સમજવું. નિયુક્તિ શ્રી. ભદ્રબાહુસ્વામીની હોવાની પ્રસિદ્ધિ આબાલવૃદ્ જાણીતી છે, તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉપરથી મૂલ આવસ્યકસૂત્રના કર્તા વિશે કશે જ પ્રકાશ પડતો નથી. ખીજી વ્યાખ્યામાં અગખાલના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છૂટાછવાયા ૐ પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યુ છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસ ંદિગ્ધપણે સાબિત કરતા પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને અરૂપે તીય કરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરકૃત કેમ માની શકાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249238
Book TitleAvashyak sutrana Karta Kon
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy