Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 187
________________ માત્ર રોવું કે છાતી કૂટવી તે જ આર્તધ્યાન નથી પણ સારી ચીજ મળતાં હાશ પણ થાય એ આર્તધ્યાનનું જ ચિન્હ છે. સારી ગોચરી મેળવવા ભટકે તે આર્તધ્યાનનિર્દોષ-પ્રાસુક અચિત્ત ગોચરી મેળવવા માટે ૧ કલાકે ફરે છતાંય આજ્ઞા છે માટે આ ધર્મધ્યાન છે. જ્યારે ભણવાના નામે એક રસોડેથી પાતરા ભરી લાવે તેમાં આર્તધ્યાન તથા ચારિત્રમોહનીયનો જથ્થો આવે, જેથી આત્મા મલિન થાય આમ ધર્મધ્યાનને સમજી ને તેમાં સ્થિર થવું તે ધ્યાન સામાચારી. ૪) ગોચરી (ભિક્ષા) સામાચારી : ભિક્ષા શબ્દમાં ભિક્ષા અક્ષરો છે. તેનો નિયુક્તિ અર્થ વિચારીએ તે... 'fમ’ એટલે ભેદી નાંખે. 'ક્ષ' એટલે ક્ષય કરે. કર્મને ભેદી નાંખે તે ભિક્ષા. કર્મના બંધનો તોડવાનો પ્રયત્ન તે ભિક્ષા જ છે. ગોચરી તો બાહ્ય પ્રતિક છે માટે જ સાધુને મુઘાજવી કહ્યા છે કોઇપણ હેતુ માટે જીવે જ નહિ, જીવવાની કામના નહીં, નિર્દોષ ગોચરી મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ માની પોતાનું જીવન ચલાવે. વિકારી વાસનાને પોષવા જે ગોચરી જતો નથી તે મુધાજવી કહેવાય...શરીર કે વાસના પોષવાથી લેવાના દેવા થાય કમબંધ પડે. મોહનીય બંધાય. સાધુને ૪૨ દોષથી રહિત ગોચરી લાવવાની હોય તેથી પચ્ચક્ખાણ પારીને જવાય જ કેમ ? નિર્દોષ ગોચરી ન મળે તો આગળ તપ કરી લે. આમ મર્યાદાઓ સાચવી ગોચરી લાવવી તે ભિક્ષા સામાચારી. ૬) "મમતદે’ સામાચારી ઃ સાધુએ પકુખીનો ઉપવાસ કરવો જ જોઇએ. લૌકિક વ્યવહાર માં પણ મશીનોની શાંતિ, આરામ માટે રવિવારની રજા હોય છે. તો પેટરૂપી મશીનને પણ આરામ હોવા જ જોઇએ. આરોગ્યની શુદ્ધિ માટે ગૃહસ્થને બે વાર ખવાય અને સાધુને ૧ વાર ખવાય મુનિને તો સાંજે ચોથા પ્રહરે સ્વાધ્યાય જ કરવાનો છે તો પછી ગોચરી જવાય જ કેમ ? એકાસણું કરવાથી જ્ઞાન, ધ્યાન, સારી રીતે થાય. આજની નીવિ એ તો એકાસણું કહેવાય. છ વિગઇના ત્યાગની નિવી કેટલી કરી ? પકખીનો ઉપવાસ વાચના-પ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212