Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 191
________________ રથી આવી ઓઘારીયાનો જ પગની પ્રમાર્જનામાં ઉપયોગ કરતા. બે ઘડી સ્વાધ્યાય ઉભા પગે કરતા. પછી એની પર બેસે. ‘પાદ પ્રોછનકં’’ તે ગરમ હોય તેનું માપ ઓઘાને ત્રણ આંટા આવે તેટલું હોય. તે બહારથી આવે ત્યારે તેનાથી રજહરણ કરે. (ઓધારીયું ઘસાઇ જાય તો પટ્ટો આડો ન બંધાય અર્થાત્ આડું ઓધારિયું ન બંધાય). ચોમાસામાં વાચના સમયે ગુરુ મહારાજનું આસન પાટ પર અને આપણું આસન નીચે રાખવું. સંથારા માટે વર્ષાકાલમાં એક કાષ્ઠમાંથી બનેલી ફલક-પાટ વાપરવી તેનો જોગ ન હોય તો છેવટે વાંસ બાંધીને પણ તેની ઉપર સંથારો કરવો જેથી જયણા પળાય તેનું પડિલેહણ જયણા પૂર્વક કરવું. દરેક વાંસ જુદા કરીને પણ પડિલેહણ કરવાનું કહ્યું છે. અર્થ પોરિસીમાં વ્યાખ્યાન અને અનુયોગ થાય અનુયોગ એટલે ? અનુ – પાછળ યોગ = જોડવું અર્થની પાછળ શબ્દ જોડી દે તે અનુયોગ શબ્દ પ્રમાણે અર્થ જોડે તે લૌકિક કહેવાય અને અર્થ પ્રમાણે શબ્દ જોડે તે લોકોત્તર કહેવાય. જિનશાસનમાં અર્થ પ્રમાણે શબ્દ જોડે તેને અનુયોગ કહેવાય. અનુયોગની ક્રિયા મહત્વની છે. વિશિષ્ટ છે. માટે ``પધ્વવાળુંપિ તૈવ'' અનુયોગ વખતે પચ્ચક્ખાણ પણ ન કરાય. જ્યાં સુધી આગમ વાચના પૂર્ણ ન થાય ત્યાં સુધી વાચના સિવાય કોઇ પ્રવૃત્તિ ન કરવી. કથા, વાત વિગેરે બીજું તો ન જ કરાય. બીજા પ્રહ૨માં અર્થ વાચના અનુયોગ કરવાનો તે સમય પૂરો થયો કે નહિ તે શી રીતે જણાય ? શરીરની છાયામાં જે પગલાં આવે તેમાં ૭ ઉમેરી જે અંક આવે તે અંકથી ૨૮૯ (ઘુવાંક)ને ૮૯ થી ભાગ કરે અને જે જવાબ આવે તેમાંથી બે બાદ કરતાં તે આવેલી સંખ્યાના અડધા ઓછા કરીએ અને જે અંક આવે તે પ્રમાણે દિનમાન જાણવું, પ્રથમ બે પ્રહરમાં છાયા પ્રમાણ દિવસ ચઢ્યો અને મધ્યાન્હ પછી તેટલો દીવસ બાકી વાચના-૫૬ Jain Education International For Private & Personal Use Only IFE www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212