Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 190
________________ quaqu-us વાળ નિરુબંતા...ll૧૭ll પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. સાહેબે યતિદિનચર્યા ગ્રંથમાં સાધુચર્યા જણાવી છે. તેમાં વ્યાખ્યાન-વાચના-શ્રવણને મહત્વનું અંગ જણાવે છે. કારણકે અર્થએ તીર્થંકર પરમાત્માનો બનાવેલ છે. એની જાણકારીથી અર્થની ગંભીરતા આવે છે, બહુમાન થાય, ઉસૂત્ર પ્રરૂપણાથી બચે આથી અવસન્ન હોવા છતાં આજ્ઞાનો આરાધક થાય અર્થપોરિસીને વ્યાખ્યાન પણ કહેવાય (એટલો સમય) એને સાંભળનાર ગૃહસ્થ પણ તેટલો સમય પાપથી આરંભ-સમારંભથી વિરત થાય છે. આ તત્કાલ મોટો લાભ છે. - આ વ્યાખ્યાન સાધુ-સાધ્વીને ખાસ સાંભળવું કેમકે એ અર્થ પોરિસી છે. સાધુસાધ્વી માટે જ છે. મહત્વનો અધિકાર સાધુ-સાધ્વીને છે. તેમાં શ્રાવકો તો પ્રાસંગિક લાભ લે. આથી મોહના સંસ્કારો ઢીલા થાય અને વિરતીને પામે. આ માટે શ્રાવકે વ્યાખ્યાન સાંભળવાનું છે સાધુ એ વિરતી મેળવી છે તેમાં અનાદિના સંસ્કારને કારણે પોતે ઢીલા પડે. વિષય-વાસના પેસી ન જાય સામાચારીમાં ઢીલાશ ન આવે એ માટે આ અર્થ પોરિસી રૂપ વ્યાખ્યાન સાંભળવું ખાસ જરૂરી છે. જે ગૃહસ્થ જેટલો સમય વ્યાખ્યાન સાંભળે તેટલો સમય નિયમથી છજીવકાયની દયાને પાલનાર બને છે. આ દેશના સાંભળવાના પરિણામે સમ્યકત્વ પામે. દેશવિરતિ કે સર્વવિરતિ પામે તે ખરેખર પરમાર્થ ગ્રહણ કર્યો છે તેમ કહેવાય અનાદિના સંસ્કારનો ક્ષય કરવો તે પરમાર્થ છે. વાચનામાં મર્યાદાપૂર્વક બેસવાનું છે. આથી આગમની વ્યાખ્યાનની શાસ્ત્રીય વિધિ બતાવે છે. વાચનામાં સાધુ-સાધ્વીએ શેષકાળમાં નીચે આસન પાથરવું પૂર્વે બહા વાચના-પ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212