Book Title: Yatidincharya Vachna 2
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
સાંજે ૩ જો પ્રહર પૂરો થતાં પહેલાં પાત્ર પડિલેહણ કરી વસ્ત્ર પડિલેહણ કરે.
પૂર્વકાલમાં પડિલેહણ કરી સ્વાધ્યાય કરતા પછી માંડલાં પૂર્વે જગ્યા જોવે સો ડગલામાં સીમિત ક્ષેત્ર તે માંડલાની ભૂમિ જોવાની છે. જો કાલગ્રહણ લેવાના હોય તો (૩(ત્રણ) ભૂમિ વધારે જુવે. અર્થાત્ ૨૪ + ૩ = ૨૭ ભૂમિ જુવે.
માત્રુ અંડિલ પરઠવતાં પૂર્વે ભૂમિ જોવી પડે. વસ્ત્ર-પાત્ર-ભૂમિ-વસતિનું પડિલેહણ કરવું. આ પડિલેહણ સામાચારી છે.
૪) ધ્યાન સામાચારી : ધ્યાન એટલે આત્મ પરિણામની ધારા તેથી કર્મબંધ પણ થાય અને નિર્જરા પણ થાય.
પરિણામની ધારા જો આજ્ઞા પ્રમાણે ચાલે તો તે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન બને જે નિર્જરા કરાવે.
પરિણામની ધારા જો મોહના સંસ્કારો પ્રમાણે ચાલે તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બને. તેથી કર્મનો બંધ થાય.
ભગવાનની આજ્ઞાને અનુસરતો પ્રયત્ન તે ધર્મધ્યાન.
ગોચરી પુદ્ગલ છે છતાં આજ્ઞા પ્રમાણે ગોચરી થાય તો નિર્જરા મોહની સાથે પરિણામની ધારા વહેતી હોય તો તેથી કર્મબંધ થાય. મોહથી રહિત પરિણામની ધારા વહેતી હોય તો તેથી કર્મ નિર્જરા થાય. આપણો આત્મા નિરંજન-નિરાકાર સિદ્ધ જેવો છે તેનું ધ્યાન ચિંતન કરવું.
પુગલને લક્ષીને જે વિચાર થાય તે આર્તધ્યાન. આત્માને લક્ષીને જે વિચાર થાય તે ધર્મધ્યાન. સારી ગોચરીની ગવેષણા તે આર્તધ્યાન શુદ્ધ ગોચરીની ગવેષણા તે ધર્મધ્યાન છે. આર્તધ્યાન કારણ છે, રૌદ્રધ્યાન એ કાર્ય છે ધર્મધ્યાન કારણ છે શુકલધ્યાન એ કાર્ય છે આર્તધ્યાન તીવ્ર બને તો રૌદ્ર ધ્યાન આવે ધર્મધ્યાન તીવ્ર બને તો શુકલ ધ્યાન આવે
આજ્ઞા મુજબ જીવન જીવવું તે ધર્મધ્યાન છે. જ્યારે જીવનમાં પુદ્ગલની રાગની પ્રબળતા તે આર્તધ્યાન છે.
વાચના-પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212