________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ કાયપ્રવિચારા હોય છે.
ત્રીજા ચોથા દેવલોકના દેવોને સ્પર્શ, ૫ ૬ ને રૂપ, ૭, ૮ ને શબ્દ, ૯, ૧૦, ૧૧, ૧૨ ને મન પ્રવિચારપણું હોય છે. તેમાં કાય પ્રવિચારી દેવો અત્યંત સંકલિષ્ટ કર્મ વાળા મનુષ્યના પેઠે મૈથુનમાં લીન થયેલા હોય છે. તેમજ તીવ્ર અનુરાગવાળા હોય છે, અને કાયકલેશથી ઉત્પન્ન થયેલું સર્વાગ સંબંધિ સ્પર્શ સુખને પામીને પ્રીતિ પામનારા હોય છે. દેવીયોની ઉત્પત્તિ, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ વૈમાનિક, સૌધર્મ, ઇશાન સુધી છે. આગળના દેવલોકને વિષે નથી.
(અદેવિકા સપ્રવિયારા :) સનકુમાર મહેંદ્ર દેવલોકના દેવોને મૈથુન સેવન સુખ પ્રત્યે ઇચ્છા થયેલી તે દેવોના પ્રભાવથી જાણીને અપરિગ્રહિતા ગણિકા સ્થાનીય અપ્સરાઓ સૌધર્મ ઈશાન દેવલોકની દેવીઓ ઉઠે છે.
તે સૌધર્મ દેવલોકની અપરિગૃહિતા દેવીયોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦ પલ્યોપમની છે. ઇશાન દેવલોકને વિષે અપરિગ્રહિતા દેવીયોની સ્થિતિ જઘન્યથી સાતિરેકે પલ્યોપમની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ પલ્યોપમની છે.
તેમાં સૌધર્મ કલ્પવાસી અપરિગૃહિતા દેવાંગનાઓની સ્થિતિ પલ્યોપમ કાળથી અધિક દશ પલ્યોપમની જેની છે, તે દેવાંગનાઓ સનકુમાર વાસી દેવોને ભોગવવામાં કામમાં આવે છે. જે દેવીઓની સ્થિતિ સૌધર્મમાં દશ પલ્યોપમના કાળથી યાવત્ વશ પલ્યોપમ સુધીની છે. તે દેવીયો બ્રહ્મલોકના દેવોને ભોગવવાના કામમાં આવે છે. સૌધર્મે જે દેવાંગનાઓથી સ્થિતિ વીશ પલ્યોપમથી અધિક કાલ ત્રીશ પલ્યોપમ સુધીની છે, તે દેવીયો શુક્ર કલ્પવાસી દેવોને
૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org