________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અને છ માસ સુધી આહાર ન પામે, તો પણ ગ્લાની ન પામે, સર્વે સાધુઓ નિદ્રા કરી ગયા પછી પણ ભય, નિદ્રા ત્યાગ કરવા માટે રાત્રિમાં કાઉસ્સગ્ન કરે ઇતિ.
પ્રથમ ભાવના ઉપાશ્રયમાં ૨ ઉપાશ્રય બહાર ૩ ચતુષ્પથે ૪. શૂન્યગૃહે ૫. સ્મશાને.
- ૨ સૂત્ર ભાવનાથી પોતાના માના પેઠે, તમામ સૂત્રો ગણે, દિવસે, રાત્રે ગમે તેવું શરીર ખરાબ છતાં પણ ખેદ ધારણ કરે નહિ, અને ક્ષણ માત્ર સૂત્ર ગણ્યા વિના ન રહે સૂત્ર.
૩. સર્વ સમુદાય છોડીને એકાકી રહે સુખ દુ:ખ કથા વાર્તાદિકને તજીને બાહ્ય અત્યંતર મમત્વ ભાવને ધારણ કરે નહિ. એકાકી.
૪ ગમે તેવા ઉપસર્ગમાં પણ, મન બળથી,તેમજ શરીરબળથી પણ ગ્લાનિ ધરે નહિ.
૫. ધૈર્યબલથી કોઈપણ રીતે તપમાં, તથા ઉપસર્નાદિકમાં કંપાયમાન થાય નહિ.
( પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ) ૧ પ્રાણાતિપાતની પ ભાવનાઓ. ૧ મનોગુપ્તિ, મનને ગોપવવું ૨ એષણા સમિતિ બેંતાલીશ દોષ રહિત આહારાદિક લોપે તે, ૩ આદાન ભંડમત્ત નિખેવણા સમિતિ, વસ્ત્ર, પાત્ર, વિગેરે યતનાપૂર્વક લેવાં મુકવાં, ૪ ઈર્ષા સમિતિ ઉપયોગ સહિત ચાલવું તે. ૫ અન્યપાણિ લેવાં તે હમેંશાં જોઈને લેવાવડે કરી અહિંસા ભાવવી તે. - ૨. મૃષાવાદની પ ભાવનાઓ - ૧ હાસ્ય ૨ લોભ ૩ ભય ૪ ક્રોધ વગેરેથી મૃષા ન બોલવું, એટલે તેના પચ્ચખાણ કરવાં
(૧૦૦)
૧00
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org