Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 252
________________ ૨૩૪૭ દમાણુને વશ થઇને પણ એ લેકે મા નુકસાનકારક વસ્તુ ખરીદતા હાય, ફર્ટિલાઈઝર જાહેર ક્ષેત્રના ઉદ્યોગ મનાવીને સરકાર પાતે જ શ્મામાં હિત ધરાવતી થઈ ગઈ છે. એટલે ખેડૂતાના, ખેતીના અને સમગ્ર રાષ્ટ્રના હિતના ભાગે ફર્ટિલાઇઝરના પ્રચારને વળગી રહી છે. સરકારે ફર્ટિલાઈઝરને ઉઠાવ ઘટવા માટે એવું કારણ આપ્યું. હતું કે તેનાથી ઉત્પાદન વધતું જતું હાવાથી ખેડૂતને ભય છે કે ભાવા ઘટી જશે, અને તેથી તેમણે ફર્ટિલાઇઝરના આછા ઉપયાગ કર્યાં હતા. આવી દલીલ અર્થહીન છે. કારણ કે વધુ પાકને કારણે અનાજના ભાવ ઘટે તેથી ખેડૂતને નુકસાન થતું નથી, સરવાળે લાભ થાય છે, અને સમગ્ર રાષ્ટ્રને પણ ફાયદો થાય છે. : ઉત્પાદન વધ્યું નથી પણ ઉત્પાદનખર્ચ વધ્યા છે અનાજ વધુ પેઢા થાય અને તેના ભાવ ઘટે એ તે સમગ્ર રાષ્ટ્રના હિતની વાત છે. પરંતુ હકીકત એ છે કે ફર્ટિલાઇઝરના વર્ષરાશથી ઉત્પાદન વધ્યું નથી, ઉત્પાદનખર્ચ વધ્યા છે. ખર્ચ વધવાથી અનાજના ઊંચા ભાવેએ ઔદ્યોગિક વસ્તુઓના ભાવે પણ ઊંચા રાખવાની ફરજ પાડી છે. પરિણામે મોંધવારી ભથ્થાં, કર વધારા અને ભ્રષ્ટાચાર, ફુગાવાનું વિષચક્ર વિસ્તૃત થતું જાય છે. જે રીતે અત્યારે પશુનાશ થયા છે તે જોતાં એમ લાગે છે કે ગણતરીનાં ભરસામાં છાણિયું ખાતર મળતું બંધ થઈ જશે અને સમગ્ર ખેતી ફર્ટિલાઈઝરથી કરવાની ફરજ પડશે. એ ગણતરીથી જ પશુઓની અરૂપી કતલ, ઝડપી નિકાસ અને ફર્ટિલાઈઝર ફેક્ટરીઓના અબજો રૂપિયાના પ્લાન તૈયાર થયા છે. આવી પરિસ્થિતિ ઊભી થશે તે ભારે અવ્યવસ્થા ફેલાઈ જશે. એક તથી છાણિયા ખાતરવિહીન બનેલી આપણી જમીન ઝપાટાબંધ વેરાન બની જશે. ખેડૂત સંપૂર્ણ રીતે કુટિલાઈઝર ફેક્ટરી માલિકોની ક્રયા ઉપર મુકાઈ જશે. આપણા નિષળ રેલવે-વાહનવ્યવહાર ઉપર ઓછામાં ઓછે. ચાર કરોડ ટન ફર્ટિલાઇઝરના વધારાના એને લઈ જવાની જવાબદારી આવી પડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274