________________
(૫૫) મહોત્સવ છે. “ધીંગધણી માથે કયો,કુણ ગંજે નરનેટ.” બીજે હવે નથી. એ વસ્તુ જેમ છે તેમ છે. તે તો તે જ જાણે છે. એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ-“આણાએ ધમ્મો, આણાએ તબ્બો.” મુદ્દો એ જ વાત. એ જ છે. બીજી લીધી નથી. દષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. સૂજે એમ કહેજો. એક પરમકૃપાળુદેવ. “થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ જ. (શરીર) આ પુદ્ગલ છે, આત્મા નથી, સંજોગ છે. સંજોગનો નાશ છે.
વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું.
એક આત્મા સિવાય બીજી વાત નથી. . (બધા દર્શન કરી બહાર ગયા. ત્રિભોવનદાસ તથા ખંભાતવાળા હતા તે વખતે કહ્યું) :
પરમકૃપાળુદેવે કહ્યું હતું- “મુનિઓ, આ જીવને (શ્રીને પોતાને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે ને સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કોઈ (અગર કાંઈ) માન્યું નથી. બીજું કાંઈ સમજીએ નહિ પણ પરમકૃપાળુદેવ માન્ય છે.”
પ્રકૃતિની અથડામણ. રાખનાં પડીકાં, નાખી દેવા યોગ્ય છે.
બધાય પરમકૃપાળુદેવની દષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે તે મોટી વાત છે. ફુલ નહિ ને ફુલની પાંખડી. કૃપાળુદેવની દષ્ટિ ઉપર બધા આવે છે, સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તોય શું?
આટલી સામગ્રી (શરીર) પુદ્ગલની છે, આત્મા નહિ. આત્મા જે છે તે છે. - “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે” - ચમત્કારી વચન છે. દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે, ઘણાનું જે પોતાનું છે. સૌ સારું હો.
આ તો માયા છે, પુદ્ગલ છે. એ ન હોય. આત્મા છે. જ્ઞાનીએ જામ્યો છે. યથાતથ્ય જ્ઞાનીએ જામ્યો છે તે