Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal
View full book text
________________
(૪૩૭) અનેક વસ્તુ છે. તેનું મમતા, મૂછ, પોતાપણું કર્યું ક્ષેત્ર ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતા પ્રત્યે અનુમોદ્યો; તથા રાત્રિભોજન, અભણ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોધ પામસ્થાનક -
ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તસાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. સાતમું માન પાપસ્થાનક :
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ ને આઠ મદ આદિ ક્ય; તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. આઠમું માયા પાપસ્થાનક :
સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. નવમું લોભ પાપસ્થાનક :
મૂછભાવ કર્યો, આશા તૃષ્ણા વાચ્છાદિ કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. દશમું રાગ પાપસ્થાનક :
મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. અગિયારમું દ્વેષ પાપસ્થાનક :
અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502