Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal
View full book text
________________
(૪૪૫)
(૧૧)
ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતોનું શરણ અંગીકાર કરું છું, સિદ્ધોનું શરણ અંગીકાર કરું છું, સાધુઓનું શરણ અંગીકાર કરું છું. અને કેવલીએ પ્રરૂપેલો ધર્મનું શરણ અંગીકાર કરું છું. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, દ્રવ્યની મૂછ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ, અને અટ્ટારમું પાપ મિથ્યાદર્શનશલ્ય. આ અઢોર પાપસ્થાનક મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં વિજ્ઞભૂત અને દુર્ગતિનો બંધ કરાવનાર છે, તેથી આ અઢાર પાપને વોસરાવું છું. (૮-૧૦) એક છું હું, નથી મારું કોઈ, નથી હું અન્ય કોઈનો એમ અદીન મનથી, આત્માને સમજાવવો એક મારો શસ્થત આત્મા, જ્ઞાન-દર્શન-સંયુક્ત રોષ છે મારા બહિરભાવો, સર્વ સંયોગ-લક્ષણ સંયોગે ઉત્પન્ન થયેલી, જીવવડે પ્રાસ દુઃખ પરંપરા તે કારણે સંયોગ-સંબંધ, સર્વ ત્રિવિધ વોસિરાવ્યા
(૧૩) અરિહંત મમદેવ, જીવું ત્યાં સુધી સુસાધુઓ ગુરુ જિન-પ્રણિત તત્ત્વ, એ સમ્યકત્વ મેં ગ્રહ્યું.
(૧૪) ખમ્મા ખમાવ્યા મારે વિશે, ખમો સર્વ જીવનિકાય સિદ્ધોની સાખે હું આલોચના કરું , મુજને વૈર ન ભાવ. (૧૫) સર્વે જીવો કર્મ વશ, ચઉદરાજ ભમે છે તે મારા વડે સર્વ ખમાવાયા, મને પણ તેહ ક્ષમા આપી જે જે મન વડે બાંધ્યું, જે જે વાણી વડે ભાખ્યું પાપ જે જે કાયા વડે કર્યું, મિથ્યા (હો) મારું દુષ્કૃત તેહ.
(૧૨)
(૧૬)
(૧૭)

Page Navigation
1 ... 497 498 499 500 501 502