Book Title: Vinayopasana
Author(s): Laghuraj Swami
Publisher: Shrimad Rajchandra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 462
________________ (૪૮) સેવા – આટલા મળે તો સમકિત થાય. શ્રીએ કહ્યું :- વાત સાચી છે. પણ બધાના ઉપાય હોય, તેમણે એક દિવસ પ.કૃને પૂછ્યું હતું:- ભવસ્થિતિ ક્યારે પાકે ? તેમણે કહ્યું “તારી વારે વાર.” જ્ઞાની કર્મનું મૂળ કાઢી નાખે છે. નિકાચિત કર્મ પણ ન રહે. શ્રેણિકને સમકિત હતું. તેણે પ્રભુને પૂછ્યું “મારે નરક ગતિ કેમ હોય?” તેમણે દેખાડ્યું કે નરકગતિ ને બીજી ગતિ બધું કર્મ છે. આત્મામાં કંઈ નથી. તે સમજ આવી પછી ગતિ ક્યાં? અને કોને ? “હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?” આટલો વિચાર કરે તો ઘણું છે. વાતમાં છે “માથું કાપે તે માલ પામે” પણ તે પોતાનું માથું નહીં. પથ્થરના પૂતળાનું માથું કાપી ધન લેવાનું હતું. તે સમજવું જોઈએ. તેમ જ્ઞાની પાસેથી સમજી લેવું જોઈએ. ત્યારે પ્રશ્ન થાય છે કે સમકિત કેમ થાય ? બધાએ જુદા જુદા જવાબ આપ્યા પછી શ્રીએ કહ્યું – વિશ્વાસ. વિશ્વાસ હોય તો સમક્તિ થાય. શ્રી – લોકો કર્મથી બીએ છે. હો ! બાઉ! એમ જાણી બીએ છે. જ્ઞાન થયા પછી કર્મ છે નહી. સ્વપ્નવત્ છે. બીક શાની? | વિષય શા માટે ખોટાં કહ્યા છે ? સો. - જેનાથી દુઃખ થાય તેનાથી દુઃખ થવાનું. જેનાથી સુખ થાય તેનાથી સુખ થાય. દુ:ખવાળામાં સુખનો સ્વભાવ નથી. એક માણસ ખાવા માંડે, વધારે ખાય, દુઃખ થાય. સ્કૂલ રીતે અનુભવ થાય છે. ત્યારે દુઃખ માલૂમ પડે છે. જ્ઞાનીને સૂક્ષ્મ સ્વરૂપે ખબર છે. એટલે જાણે છે કે તેનો દુ:ખ આપવાનો સ્વભાવ છે, તે દુ:ખ આપશે. તેના ત્યાગથી સુખ થાય છે તે પણ અનુભવમાં આવે છે, આકુળતા મટે ત્યારે શાંતિ દેખાય છે. માટે જેથી નિરાકુળતા આવે તેને જ્ઞાનીએ સુખ કહ્યું છે. અજ્ઞાનીને સ્થૂળ દષ્ટિ છે તેથી જ્ઞાનીઓ સંસારના દેખાતાં દુઃખના પ્રસંગ સમજાવે છે. પછી સમજાવે છે કે સૂક્ષ્મતાએ દુઃખ જ છે. છેવટે સમજાવે છે કે સંસાર દુઃખમય છે. વિષય નહિં હોવાથી નિરાકુળતાનું

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502