________________
(૨૬૨) કરી. તેની દુવાને લીધે આજે જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે.
જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. એને શરણે અમે તો બેઠા છીએ (એમ કહી પ.કૃદેવ તરફ આંગળી કરી પછી પ્રભુશ્રીએ કહ્યું કે, નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઈચ્છીએ છીએ, તેમાં અમારો સ્વાર્થ નથી કે કોઈને આડો રસ્તો બતાવવો નથી કે નથી પૂજાસત્કારની વાત. બધા સંઘની સાક્ષીએ વાત કહીએ છીએ. જે ભરી સભામાં કે સંઘમાં જુઠું છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે. વાચા બંધ થઈ જાય, મૂઢ થાય. અમે જે કહીએ તેની ઉપર વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે. પણ અમે કહીએ તેમ કરવું હોય તે ભાઈઓ ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે :
“સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે”
અમને તો એમ થયું કે ભલા જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી એની આજ્ઞા
સહજાન્મસ્વરૂપ પરમગુરૂ' જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુદેવની દષ્ટિએ કહી સંભળાવી પણ અણસમજણે કંઈક ને, કંઈક.....ને, કંઈક ને અને અમને વળગી પડ્યા. ઝેર પીયો છો ઝેર, મરી જશો. ન હોય એ રસ્તો.
જ્ઞાની તો જે છે તે છે. એની દષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો,ન માનવા હોય તો ન માનો, પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં ચાલે છે તે છો ચાલે. વખત આવે બધું ફેરવી નાખીશું. અમને કંઈ ફૂલ, હાર, પૂજા-સત્કાર એ ગમતા હશે ? પણ ન ગમતા ઘૂંટડાં જાણીને ઉતારી જતા, હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એક કૃપાળુદેવ. હા ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો પણ કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી. કૃપાળુદેવના ચિત્રપટની જ પૂજા થાય. ઠીક થયું નહિ તો તમે પ.કૃ.દેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી- બારમા ગુણસ્થાનક સુધી સાધક, સાધક ને સાધક રહેવાનું કહ્યું છે. આડા અવળું જોયું