Book Title: Vijapur Bruhat Vrutant Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્હારા તે યોગીશ્વર ગુરૂશ્રી જાણતા હતા. અને તેમજ થયું તે જગતે જોયુ. મને પણ પ્રભુ શ્રી મહાવીર અને ગૌતમના વિરહની કંઈ ઝાંખી થઈ. ગુરૂશ્રીના અનેક પ્રાસંગીક વચનોની સત્યતા તેઓના સંબંધમાં આવનારાઓને વખતો વખત અનુભવાતી હતી અને વખત જશે તેમ વધુ અનુભવાશે. સંતવાણી. - તેઓશ્રીની પ્રેમભાવે અપૂર્વ સેવા–વૈયાવચ્ચ કરનાર શાન્તમતિ શ્રી વૃદ્ધિસાગરજી અંત સમયે ગુરૂશ્રીએ બોધ આપતાં આપતાં સં. ૧૯૮૧ ના ચૈત્ર સુદ ૫ ની રાત્રે કહ્યું કે “આત્મ સ્વરૂપ ચૂકીશ નહી ” “ ફીકર ન કર, જા તારી પાછલ આવું છું–તૈયારી છે.” ઇત્યાદિ બોલાયેલ સમસ્યાસૂચક વચન તે સંત પુરૂષે સાચાં કરી બતાવ્યાં અને તે માત્ર અઢી માસની અંદર જ. જે સ્થળે મુનિ શ્રી વૃદ્ધિસાગરજીને અગ્નિસંસ્કાર થયો તે જ સ્થાનમાં આચાર્યશ્રીના દેહને અગ્નિસંસ્કાર થયો–એકજ સ્થાને બન્ને પુદ્ગલની રાખ થઈ અને ત્યાં ગુરૂશ્રીનું સમાધી મંદીર થયું અને ભાવીએ નિર્માણ કર્યું હોય તેમ ગુરૂ શિષ્યના પ્રેમનું દશ્ય મૂર્તિ રૂપે સાક્ષાત ખડું થયું. સંતોની સત્યતા જણાવતું–ગુરૂ શિષ્યનું સ્મારક દ્રશ્ય વિજાપુરમાં જયવંતુ વર્તે. શાન્તિઃ રૂ ગુણદૃષ્ટિવડે ગુણાનુરાગ પ્રગટે તથા પ્રભુ મહાવીરના શાસનની નિસ્પૃહ ભાવે વિશેષ સેવા થાય અને શુભાશુભ કર્મની નિર્જરા જલ્દી થાઓ એવું ઈચ્છતો અને ભાવપૂર્વક વંદન કરતા શ્રી મુંબાઈ ચંપાગલી. ) સં. ૧૯૮૨ માહ સુદ ૩ ( ગુરૂ વિરહની પંદરમી લલુ કરમચંદ. પાક્ષિક તીથી ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 345