Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 308
________________ संसग्गि असाहु राइहिं। ૨૯૯ પરોવાતાં વાર લાગે છે. સ્વાધ્યાય માટે ક્યારેક પૂરતો સમય રહેતો નથી. કેટલીક વાર રાજાઓ, મંત્રીઓ રાતને વખતે મળવા આવે છે કે જેથી સામાન્ય લોકોની નજરે તેઓ ન પડે. પરંતુ એથી સાધુ મહારાજને ઉજાગરો થાય છે. પછી ધ્યાન કે આત્મચિંતન માટે સમય રહેતો નથી. આવશ્યક ક્રિયાઓ પણ આઘીપાછી કરવી પડે છે. અથવા માંડી પણ વળાય છે. એટલે જ રાજાઓના કે રાજદ્વારી પુરુષોના સંપર્કમાં ન રહેવું એ સાધુ ભગવંતો માટે હિતાવહ છે. ભગવાને તો એથી આગળ વધીને એમ કહ્યું છે કે રાજપિંડ પણ સાધુને ન ખપે એટલે કે સાધુથી રાજમહેલમાં ગોચરી વહોરવા માટે ન જવાય. રાજા કુમારપાળે પોતાના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પ્રસંગે એમની ચિતાને અગ્નિદાહ આપતી વેળાએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે “હું કેવો અભાગી કે રાજા થયો. એથી મારા ગુરુ મહારાજને ગોચરી વહોરાવવાનો લાભ મને ક્યારેય ન મળ્યો.” સાધુઓ રાજમહેલમાં ગોચરી માટે ન જાય એટલે કે તેઓ રાજમહેલમાં આંટાફેરા કરતા ન થાય એ બહુ મહત્ત્વનું છે. વળી રાજકારણ એ ખટપટનું ક્ષેત્ર છે. રાજા ભલે પ્રતાપી, સુશીલ અને ધર્માનુરાગી હોય, પણ એમના મંત્રીમંડળમાં, કર્મચારીઓમાં ઘણા કાવાદાવા ચાલતા હોય છે. સત્તા અને મહત્ત્વાકાંક્ષાનું ક્ષેત્ર સ્વયમેવ ગંદુ થઈ જાય છે. સાધુ મહારાજને જો રાજ્યસત્તાધીશો સાથે ઘનિષ્ઠ સંપર્કમાં હોય તો આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368