Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 353
________________ ३४४ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પોતાના ઘોડાને એક થાંભલા સાથે બાંધીને તે બજારમાં ખરીદી કરવા ગયો. એ થાંભલા નજીક એક મકાનમાં એક કદાવર માણસ પોતાના ઘરની બારીઓ રંગતો હતો. બારીઓ રંગાઈ ગઈ એટલે પોતાની પીંછીમાં રહી ગયેલો રંગ તેને કાઢવો હતો. એવામાં એની નજર ઘોડા પર ગઈ. એણે પોતાની પીંછી ઘોડાના શરીર પર લપેડા કરીને સાફ કરી. ઘોડો જાણે કે રંગાઈ ગયો. બે કલાક પછી મુસાફર ખરીદી કરીને પાછો આવ્યો. પોતાના ઘોડા પર રંગના લપેડા જોઇને તે ક્રોધથી ભભૂકી ઊઠ્યો. તે બરાડા પાડવા લાગ્યો, “કોણ બદમાશે મારા ઘોડાને રંગ લગાડ્યો છે. મને ખબર પડે તો અત્યારે જ તે ગદ્ધાની સાન ઠેકાણે આણું. બોલો, કોણે આમ કરવાની હિંમત કરી છે ?' ત્યાં બાજુના મકાનમાંથી પેલો છ ફૂટ ઊંચો કદાવર માણસ મૂછ મરડતો બહાર નીકળ્યો અને બરાડ્યો, મેં રંગ લગાડ્યો છે. બોલ, તું શું કરી લેવાનો છે ?' ઘોડેસ્વાર ગભરાઈ ગયો. મારામારીમાં તો પોતે મરશે. એણે તરત પોતાની વાણીનો ભાવ બદલ્યો. નરમ થઇને એણે કહ્યું, ભાઈ સાહેબ, તમે રંગ લગાડ્યો છે તે બહુ સારું કર્યું. ઘોડો કેવો સરસ દેખાય છે ! હવે મારે એટલું પૂછવાનું છે કે આ રંગ સૂકાઈ ગયો છે. બીજો હાથ મારવાનો હોય તો રોકાઉં, નહિ તો હું જાઉં.” પેલો કદાવર માણસ કશું બોલ્યા વગર ઘરમાં ગયો કે તરત ઘોડેસ્વારે તક જોઇને ઘોડા પર બેસી પોતાનો ઘોડો દોડાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368