Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 352
________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩૪ ૩ છે. પરંતુ કોશા એમ વશ થાય એવી નથી. તે કામભોગ માટે નેપાળથી રત્નકંબલ લાવી આપવાની શરત મૂકે છે અને સિંહગુફાવાસી શિષ્ય રત્નકંબલ લેવા માટે નેપાળ જવા નીકળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાને સમર્થ માનનાર માણસ પણ બ્રહ્મચર્ય વ્રતમાં પરાજિત થઈ જાય છે. ભગવાને જે ઉપદેશ સાધુઓને આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. જીવનમાં જ્યાં સુધી વિપરીત સ્થિતિ ઉત્પન્ન થતી નથી અથવા કસોટીના પ્રસંગ આવતા નથી ત્યાં સુધી માણસ પોતાને ચડિયાતો માને છે. પરંતુ જીવનમાં કેટલીયે વાર શેરને માથે સવાશેર હોય છે. પોતાનું અભિમાન અમુક સમય સુધી જ ટકતું હોય છે. પોતાની ભિન્નભિન્ન પ્રકારની શક્તિ માટે માણસ જે અભિમાન કરે છે તેનાં પ્રકારો ઘણાં બધાં છે. પરંતુ શાસ્ત્રકારોએ અભિમાનના– મદના મુખ્ય આઠ પ્રકાર બતાવ્યા છે : (૧) જાતિ, (૨) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) તપ, (૬) શ્રુત, (૭) લાભ અને (૮) એશ્વર્ય. આ આઠ પ્રકારના મદના દરેકના કેટલાયે પેટા પ્રકારો છે. મદને લીધે જેમણે ભારે કર્મો બાંધ્યાં હોય એવાં અને મદને લીધે પરાજિત થયા હોય એવાં ઘણાં પૌરાણિક–એતિહાસિક દૃષ્ટાન્નો જોવા મળે છે. સામાન્ય વ્યવહારમાં પણ આવા દાખલા જોવા મળે છે. એક વખત કોઈ ગામડેથી એક બહાદુર માણસ ઘોડા પર બેસી નાના શહેરમાં ખરીદી કરવા આવ્યો. એક મકાન આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368