Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 357
________________ ४८ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મન પર પડી હતી. અમને થતું કે કમાન્ડર હોય તો આવા હોય. પંદર દિવસ પછી કેમ્પના નિરીક્ષણ માટે દિલ્હીથી એન.સી.સી.ના વડા બ્રિગેડિયર વીરેન્દ્રસિંહ આવ્યા અને બે દિવસ રોકાયા. કર્નલ કરતાં બ્રિગેડિયરનો હોદ્દો ઊંચો. તેઓ અત્યંત તેજસ્વી હતા. તેઓ આવ્યા ત્યારે કર્નલ બ્રિટોની સાથે અમે બધા ઓફિસરોએ સલામ કરી એમનું સ્વાગત કર્યું. હવે બ્રિગેડિયરની સાથે “યસ સર, યસ સર'. કહીને વાતો કરનારા કર્નલ બ્રિટો અમને એમની પાસે ઝાંખા લાગવા માંડ્યા. બે દિવસ પછી બ્રિગેડિયર કેમ્પમાંથી વિદાય થયા, પણ પછીના પંદર દિવસ સુધી કર્નલ બ્રિટો અમને એવા તેજસ્વી નહોતા લાગતા, જેવા આરંભમાં લાગતા હતા. મહાત્મા ગાંધીજીની એવી તેજસ્વી પ્રતિભા હતી અને એમની પ્રજ્ઞા એવી પરિપક્વ હતી કે તેઓ ક્યાંય પણ જાય તો શ્રોતાઓ ઉપર છવાઈ જતા. અમે નજરોનજર જોયું છે કે આઝાદીની લડત વખતે એક સભામાં કોંગ્રેસી નેતાઓ વચ્ચે મતભેદ થયો હતો અને ખેંચતાણ થતી હતી. એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. થોડાક વક્તાઓને સાંભળ્યા પછી તેઓ બોલવા લાગ્યા ત્યારે સી સ્તબ્ધ બનીને એમને સાંભળવા લાગ્યા અને મતમતાંતર મટી ગયાં અને એમણે ઉચ્ચારેલો અભિપ્રાય સહર્ષ સર્વસ્વીકૃત બની ગયો હતો. જીવનના દરેક ક્ષેત્રમાં એક કરતાં એક ચડિયાતા માણસો હોય છે. આમ છતાં દરેક ક્ષેત્રમાં પોતાની શક્તિનું અભિમાન કરનારા અનેક માણસો હોય છે. તેઓ પોતાનું અભિમાન પોષવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368