Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 355
________________ ૩૪૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ દૃઢ રહે છે, પણ મોટાં પ્રલોભનો વખતે ડગી જાય છે. પાંચ પચીસ હજારની લાંચ મળતી હોય તો માણસની પ્રામાણિકતા ટકી રહે છે, પરંતુ પાંચ-પંદર કરોડ રૂપિયા મળતા હોય ત્યારે તેઓ ડગી જાય છે. પોતાના બ્રહ્મચર્ય માટે ગર્વપૂર્વક વાત કરનાર સામાન્ય સ્ત્રીઓથી ચલિત થતા નથી, પણ કોઈ રૂપવતી લલના આગળ તેઓ ડગી જાય છે. ભગવાન બુદ્ધનો અંકમાલ નામનો એક શિષ્ય હતો. તેણે ભિખુ તરીકે સારી તાલીમ મેળવી હતી તે ત્યાગવૈરાગ્યનો નમૂનો હતો. બ્રહ્મચર્યના પાલનમાં તે દઢ હતો. તે ઘણો હોંશિયાર હતો અને સારું વ્યાખ્યાન આપી શકતો. એક વખત એણે ભગવાન બુદ્ધ પાસે સ્વતંત્ર વિહાર કરવાની અને લોકોને ધર્મોપદેશ આપવાની માગણી કરી. બુદ્ધે એને થોડો વખત થોભી જવા કહ્યું, અને એની ગુપ્ત કસોટી કરવાનું વિચાર્યું. ત્યાર પછી બુદ્ધની સૂચનાનુસાર બે બૌદ્ધ ભિખ્ખઓ રાજ્યના ગુપ્તચરોનો સ્વાંગ સજીને અંકમાલ પાસે ગુપ્ત રીતે એકાંત સાધીને પહોંચ્યા અને કહ્યું કે સમ્રાટ હર્ષે તેઓને મોકલ્યા છે. વળી કહ્યું કે તમારી ખ્યાતિ અને કાબેલિયતથી સમ્રાટ ખૂબ જ પ્રભાવિત થયા છે. વળી કહ્યું, “સમ્રાટે આપને રાજ્યનું મંત્રીપદ સ્વીકારવા માટે વિનંતી કરવા અમને મોકલ્યા છે. આ વાત અત્યંત ગુપ્ત રાખવાની છે. આપ વિચાર કરીને એ માટે સંમતિ આપો એટલે અમે સમ્રાટને તે જણાવીએ. એ માટે અમે અહીં થોડા દિવસ રોકાઇશું.” અંકમાલે વિચાર કર્યો કે સમ્રાટ હર્ષના આવડા મોટા રાજ્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368