Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 365
________________ ૩૫૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ લીધા અને દોરી વડે મજબૂત રીતે બાંધી દીધા. ચોરે તરત બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. પણ ઘરના લોકોએ પગ ખેંચી રાખ્યા અને એના ઉપર તીણ પ્રહારો કર્યા. ચોરના સાથીદારો બહારથી તેને પકડીને જોરથી ખેંચતા જાય. તેમ બન્ને બાજુ ખેંચાતા ચોરના પગ ભાંગ્યા અને એમ કરતાં તો ચોર ત્યાં જ મૃત્યુ પામ્યો. ચોર ચોરી કરવા ગયો. હજુ એણે ચોરી કરી નહોતી, ત્યાં જ એને ચોરીના ફળરૂપે મૃત્યુને ભેટવું પડ્યું. બીજા એક દૃષ્ટાંતમાં એક ચોર આવી રીતે રાત્રે અંધારામાં સુંદર કલાત્મક બાકોરું પાડીને કુશળતાપૂર્વક ચોરી કરતો અને પકડાતો નહિ. જે ઘરમાંથી રાતે ચોરી કરીને આવે, પછી સવારે પોતે દોરેલી આકૃતિ જોવા થાય. એક વખત એણે મોટી ચોરી કરી હતી. એનું કલાત્મક બાકોરું જોવા આખું ગામ ઉમટ્યું હતું. પોતે પણ ગયો હતો. લોકો ચોરીની વાત છોડીને બાકોરાની એના કરનારની ઘણી બધી પ્રશંસા કરવા લાગ્યા. એ વખતે એનાથી રહેવાયું નહિ. એનાથી ઉત્સાહથી ભૂલમાં બોલાઈ ગયું કે “અરે, આ કલાત્મક સંધિમુખ તો મેં કર્યું છે, પણ પછી તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે પકડાઈ ગયો. તેની ચોરી પુરવાર થઈ અને રાજાએ એને ફાંસીની સજા કરી. કેટલીકવાર માણસો પાપ કરે છે અને પાપ માટે બડાઈ હાંકે છે, પણ જ્યારે એનાં ફળ ભોગવવાનાં આવે છે ત્યારે તે ઘણાં મોટાં હોય છે. કર્મનાં ફળ ભોગવ્યાં વિના કોઈનો છૂટકારો નથી. કેટલીકવાર માણસ પોતાના કુટુંબ માટે પાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368